SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪૩ તત્ સ્વરૂપ બનવું' એટલે તે રૂપ હોવાનો અનુભવ કરવો. તરૂપ બનવું” એટલે તે રૂપ થઈને સ્થિર રહેવું. આ રીતે પરમેષ્ઠિઓના ધ્યાનમાં તદાકાર ઉપયોગે પરિણમી તેમાં સ્થિર બનવાથી જ નવકારનો સાચો અર્થ અનુભવાય છે અને તે વખતે નવકારને ચૌદ પૂર્વનો સાર, દ્વાદશાંગીનું નવનીત કહ્યું છે તેનો પરમાર્થ ખ્યાલમાં આવે છે. અરિહંતાણં = Turning towards the Divinty પરમાત્મા તરફ જવું. દુન્યવી વસ્તુઓ સંબંધી વિચારમાંથી પરમાત્મા તરફના પ્રયાણનો મંત્ર છે : “નમો અરિહંતાણું.” Namo is the turning point from Arula to 246419 Namo is the turing point from subconscious to superconscious. આપણા ચિંતન્યને પરદ્રવ્ય (પુદ્ગલ દ્રવ્ય)ના સંબંધમાંથી છોડાવવાની અને આત્મ-સ્વરૂપમાં સ્થિર કરવાની પ્રક્રિયા “નમો અરિહંતાણં'ના ધ્યાનમાં છે. પરમાનંદને અનુભવવાની પ્રક્રિયા નમસ્કાર ભાવમાં છે. પરમાત્માના ધ્યાન દ્વારા પરમાત્માની પૂર્ણતાનો દિવ્ય પ્રકાશ આપણા અંતરાત્મામાં ઝીલી શકાય છે, અને તે દ્વારા આત્મસ્વરૂપના અનુભવરૂપ રત્નત્રયીમાં રમણતા અને તત્ત્વત્રયીનો ત્રિવેણી સંગમ પ્રાપ્ત થાય છે અને તેનાથી પરમાનંદનું અનુભવન સર્વસિદ્ધિઓને પ્રાપ્ત કરાવે છે. * નમો એટલે પરરૂપેણ નાસ્તિત્વ. અરિહંતાણું એટલે સ્વરૂપેણ અસ્તિત્વ. નમો એટલે વિભાવમાંથી છૂટવું. અરિહંતાણું એટલે સ્વભાવમાં સ્થિર થવું. નમો એટલે પરભાવનું વિસ્મરણ. અરિહંતાણું એટલે સ્વભાવમાં રમણ. નમો એટલે બહિરાત્મભાવનો ત્યાગ. અરિહંતાણું એટલે અંતરાત્મભાવ દ્વારા પરમાત્મભાવનો અનુભવ. નમો એટલે અહંકારનો નાશ End of Egoism. અરિહંતાણું એટલે નમસ્કારની પરાકાષ્ઠા. નમો એટલે સંસારની અસારતાની કબૂલાત. અરિહંતાણું એટલે મોક્ષ જ સાર છે, તેવી સભાનતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy