SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ ભગવાન શરીરથી દૂર છે. ઉપયોગથી દૂર નથી. તદ્દન નિકટ છે. ‘સ્મરણ શરણં મમ આપણે જેનું નિરંતર સ્મરણ કરીએ છીએ તેના શરણે છીએ. રાત દિવસ પૈસાનું સ્મરણ કરીએ તો પૈસાના શરણે, સ્ત્રી પુત્ર પરિવારનું સ્મરણ કરીએ તો સ્ત્રીપુત્ર પરિવારના શરણે અને ભગવાનનું સ્મરણ કરીએ તો ભગવાનના શરણે. સ્મરણ દ્વારા શરણ અંગીકાર કરવાની આ દીવ્ય કળા છે. ચોવીસે કલાક પ્રભુનું સ્મરણ કરી ચોવીસે કલાક પ્રભુના શરણે રહી શકીએ છીએ. ભગવાનનું સ્મરણ તે આત્માનું શરણ છે, કારણ કે પ્રભુ શુદ્ધ આત્મ સ્વરૂપ છે. ભ વાનનું વિસ્મરણ તે આત્માનું વિસ્મરણ છે. બાહ્ય આપત્તિ તે આપત્તિ નથી, પ્રભુનું વિસ્મરણ તે આપત્તિ છે. બાહ્ય સંપત્તિ તે સંપત્તિ નથી પણ પ્રભુનું સ્મરણ એ સંપત્તિ છે. સ્મરણ ગાઢ થતાં દર્શનનું રૂપ ધારણ કરે છે. નામના સ્મરણ સમયે નામીની ઉપસ્થિતિનો અનુભવ તે નામાભ્યાસની પ્રગતિનું પ્રતીક છે. ગુરૂ વચનામૃત-૧૫ ચક્રવર્તિના સામ્રાજ્ય કરતાં પ્રસન્નતાની કિંમત અધિક છે. પ્રસન્નતા ક્ષમા, મૈત્રી, ભકિત અને સંતોષથી આવે છે. એક તું તારા આત્માને ક્ષમા મૈત્રી અને ભકિતથી પ્રસન્ન કરે એટલે ત્રણ ભુવનનું સામ્રાજ્ય તારી પાસે છે. ગુરૂ વચનામૃત-૧૬ નિદ્રા અવસ્થા સારી, મૂર્છા અવસ્થા સારી, ગાંડપણ સારૂં પણ આર્ત્તધ્યાન, રૌદ્ર ધ્યાનવાળા દુષ્ટ વિકલ્પો વડે વ્યાકુળપણું અથવા વ્યાકુળ એવું મન સારૂં નહિ. કલેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર. ૧૭. “પૂ. ગુરૂ મહારાજે અમને નવકારમાં શું શીખવાડ્યું ?” ‘નમવું' એટલે પરિણમવું, “પરિણમવું” એટલે તત્ સ્વરૂપ બનવું, તદાકાર ઉપયોગે પરિણમવું, તન્મય થવું, તદ્રુપ થવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy