SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ માટે જ પરમાત્માની આપણામાં સતત હાજરીનો અનુભવ કરવાની કળા હસ્તગત કરવી ખૂબ જ જરૂરી છે. આપણા અંદર (હૃદયમાં) પરમાત્માનો દીવ્ય પ્રકાશ પ્રકાશી રહ્યો છે, તેવું સ્મરણ રાખવું જરૂરી છે. શરૂઆતમાં ‘નમો અરિહંતાણં' (અગર ‘અરિહંત' ‘અર્હ’)ના સતત સ્મરણથી અને તે સ્મરણ વખતે હૃદયમાં વૃત્તિઓને સ્થિર કરવાથી પરમાત્માની તેજોમય મૂર્તિનું હૃદયમાં દર્શન થશે. (કલ્પનાથી) મંત્ર સ્મરણ અને અત્યંત ભાવપૂર્વકની ભકિત દ્વારા પરમાત્માની હાજરીને હૃદય મંદિરમાં અનુભવવાની (દર્શન કરવાની) પ્રક્રિયા વારંવાર કરવાની ટેવ પાડવી. પરમાત્માના ગુણોરૂપ ફૂલોને ખીલવા માટે આપણું દીલ એક બાગ બની જવું જોઈએ. પરમાત્મા હૃદયમાં પધારે ત્યારે તેમના ગુણો ઉપકારો અને અનંત શકિતઓનું સ્મરણ કરવું અને તેમની સાથેનો સંબધ દઢ કરવો. તેમની હાજરી આપણને કલ્પવૃક્ષ કરતાં અધિક કિંમતિ લાગવી જોઈએ. અતિશય મહિમા અતિ ઉપગારતા, નિર્મળ પ્રભુ ગુણરાગ, સુરમણિ સુરધટ સુરતરૂ તુચ્છ તે, જિનરાગી મહાભાગ. આપણો મહાભાગ્યનો ઉદય થયો છે તેવું હ્રદય મંદિરમાં પરમાત્માનું દર્શન થતાં લાગવું જોઈએ. ક્રમસ૨ સતત અભ્યાસ, ઝંખના અને પ્રભુના અનુગ્રહથી તેમની હાજરીનું સાતત્ય જળવાઈ રહેશે. ધીમે ધીમે આપણી વૃત્તિઓ જે અનાદિ મોહના સંસ્કારોના કારણે આત્મા અને પરમાત્મા સિવાય અન્ય પદાર્થોમાં ફરતી હતી, તે પ્રગટ પ્રભાવી, અચિંત્ય શકિત યુકત, અનંત ગુણ સમૃદ્ધિના નિધાન, પ્રેમ અને કરૂણા સ્વરૂપ, પરમાનંદ અને સુખના ભંડાર પરમાત્મામાં વિલીન થાય છે. આદર, બહુમાન, ચિ, રમણતા, તન્મયતા, તદ્રુપતા, એકત્વતા પરમાત્મામાં જ સ્થિર બને છે. પરમાત્મા સિવાય બીજું કાંઈ પણ વિચારી શકાતું નથી, અનુભવી શકાતું નથી. વૃત્તિઓનું પરમાત્મામાં વિલીનીકરણ થતાં પરમાત્મા તેમના દીવ્ય ભાવો દ્વારા આપણા ઉપર સંપૂર્ણ અનુગ્રહ કરે છે. (અર્થાત્ તેમના સંપૂર્ણ અનુગ્રહના પાત્ર આપણે બનીએ છીએ.) તે સમયે આપણામાં રહેલ મિથ્યામોહનો પરમાત્મા ધ્વંસ કરે છે. (કૃષ્ણે કંસનો સંહાર કર્યો એટલે કૃષ્ણ પરમાત્મા અને કંસ દુષ્ટ વૃત્તિઓ Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy