SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ આ પુસ્તકમાં સં. ૨૦૧૩ના ભીલડીયાજી તીર્થમાં “પૂ. ગુરુ મહારાજે” “જીવનનું ધ્યેય-લક્ષ્ય” શું હોવું જોઈએ તે બાબતમાં સાધકને માર્ગદર્શન આપ્યું ત્યારથી સં-૨૦૩૬ના વૈશાખ સુદ ૧૪ના તેમના કાળધર્મ સુધી જે જે માર્ગદર્શન અને સાધનાની પ્રક્રિયાઓ બતાવી, તેની પાછળ તેમના અંતરંગમાં શું પરિણતિ હતી તે સંબંધિ તેમના લખેલા ગ્રંથોમાં અને ઉપદેશમાં આત્માના શુદ્ધ સ્વરૂપના વિષયમાં ઘણા ઉલ્લેખો છે. વળી તે પાછળ તેમની સાધનામાં શું ભાવો હતા? તથા આત્મ સ્વરૂપનું પૂર્ણ પ્રગટીકરણ એ આપણું પરમ લક્ષ્યાંક છે તે લક્ષ્યાંક પરિપૂર્ણ કરવા માટે આ જન્મમાં આપણી પાસે સંપૂર્ણ સામગ્રી નથી તેથી આ જન્મનું લક્ષ્યાંક “આત્માનુભવ કરવો” તે માટે પૂ. ગુરૂ મહારાજની સ્વયં સાધના શું હતી ? તે આપણે વિચારીએ. પરમાત્માનું આલંબન લઈ, અરિહંતાકાર ઉપયોગમાં તે સ્થિર બની જતા. અરિહંતાકાર ઉપયોગ વખતે ઉપયોગાકાર આત્મા (ધ્યાતા) બને છે. આ રીતે અરિહંતાકાર બનેલા પોતાના આત્માના ધ્યાનમાં લીન બનતા. તે વખતે સ્વરૂપ સ્થિરત્વમાં જે રસ અનુભવાય છે તેનું વર્ણન કોઈક વખતે “સાધક” સાથેના તેમના વાર્તાલાપમાં આવતું હતું. જો કે આત્મ સ્વરૂપમાં સ્થિરતા વખતે જે રસનું વેદન, અનુભવન અને ભોગવટો થાય છે તે તો માત્ર અનુભવ ગોચર છે, શબ્દોમાં તેનું વર્ણન શકય નથી. આત્મચેતન્યના અનુભવ વખતે જે રસનું વેદના થાય છે તે જગત ઉપરનો સર્વોત્કૃષ્ટ પરમ અમૃતમય રસ છે. તે રસના વેદન અને ભોગવટા વખતે આનંદના અનુભવની પરાકાષ્ઠા હોય છે. પરમ શાન્તિની અવસ્થા હોય છે. ત્યાં કરવાપણું કાંઈ પણ હોતું નથી. વિકલ્પ શાન્ત હોય છે. દા.ત. મોતીની માળા ખરીદતી વખતે મોતીનો ચળકાટ, પારદર્શક્તા, અને બીજી અનેક રીતે તેનું મૂલ્યાંકન કરવાનું હોય છે. પરંતુ માળા પહેર્યા પછી પહેરવાનો આનંદ ભોગવવાનો હોય છે. તેવી રીતે આત્મસ્વરૂપમાં ઉપયોગ સ્થિર થાય ત્યાં સુધી અનેક શુભ અને શુદ્ધ વિકલ્પો, વિગેરે પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. તેનું વર્ણન શાસ્ત્રોમાં અને સદ્ગુરૂઓ પાસેથી મળે છે પણ ઉપયોગ આત્માકારે પરિણમે ત્યારે આત્મસ્વરૂપનું વેદન, અનુભવ અને ભોગવટો થાય છે તે દિવ્યરસની અનુભૂતિ પૂ. ગુરૂમહારાજ કરતા હતા. તે રસની અભિવ્યકિત તેમના વચનામૃતમાં સ્પષ્ટ જોવા મળતી. તેમના કેટલાક વચનામૃત અહીં નોંધ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy