SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતને દિન મેં નાંહી પીછાન્યો, ૨૨૦ મેરો જનમ ગયો સો અજાનમેં, અબ તો અધિકારી હુઇ બેઠે, પ્રભુ ગુન અખર્ય ખજાનમેં. પરમાત્માનો અક્ષય અનંત ખજાનો તે મારી સંપત્તિ છે તેવી સભાનતા થવા રૂપ અનંત લાભ થયો. ૩. આ પંક્તિઓનો પરમાર્થ સમજવા માટે એક ધ્યાન પ્રયોગ આપણે કરીએ. આ પ્રયોગ - આ પુસ્તકના પાના નં. ૮૪ થી ૮૫ ઉપર લખેલ છે તે વાંચ્યા પછી અહીંથી આગળ વાંચવું. હૃદયમંદિરમાં પધારી પ્રભુએ પ્રેમપૂર્વક આપણી અંદર તેમની શક્તિઓનું આપણને દાન આપ્યું. પરમાત્મા હૃદયમાં પધાર્યા. પરમાત્માના ગુણો અને શક્તિઓનો આપણા અંદર વિસ્ફોટ થાય છે. આપણા લોહીના અણુએ અણુમાં પરમાત્માની દિવ્ય શક્તિઓ કાર્યશીલ હોય તેવું અનુભવાય છે. હવે તાત્ત્વિક દૃષ્ટિએ આ વસ્તુ વિચારીએ. (ભગવાન) હૃદયમાં બિરાજમાન પરમાત્મા તે આપણું શુદ્ધ આત્મ દ્રવ્ય છે તે દાન આપનાર છે. (ભક્ત) લેનાર આપણો વર્તમાન પર્યાય છે. (દાન) આપવાની વસ્તુ આત્મગુણો છે. આનંદ, સુખ, શક્તિ, કેવળજ્ઞાન આદિ ગુણ સમૃદ્ધિ વગેરે. દેના૨ આત્મ દ્રવ્ય અનંત દાન આપે છે. લેનાર વર્તમાન પર્યાય દાન ગ્રહણ કરવા રૂપ અનંત લાભ મેળવે છે. દાન આપવાની વસ્તુ આત્મગુણો છે. Jain Education International જ્યારે આપણો વર્તમાન પર્યાય (ભક્ત),પ્રભુજીની એટલે શુદ્ધ આત્મ દ્રવ્યની સન્મુખ બને છે ત્યારે અનંત દાન આપનાર આત્મ દ્રવ્યના અનંતગુણ ગ્રહણ કરવાથી વર્તમાન પર્યાય નિર્મળ બનીને શુદ્ધાત્મ દ્રવ્યનો અભેદ સાધી પરમાનંદનો અનુભવ કરે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy