SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ (૮) પરમાત્મા તરફથી મળેલી સહાય માટે અંતઃકરણપૂર્વક પરમાત્માને નમસ્કાર કરો. પરમાત્મા ઉપર શ્રદ્ધા કેન્દ્રિત કરો. પ્રભુ-ભક્તિથી સભર જીવન જીવો. (૯) તમે સુંદર કલાકાર (artist) છો, તમારું જીવન તે જ તમારી કળા (art) છે. પ્રત્યેક પળે નવસર્જન કરો. સત્ય સંકલ્પપૂર્વકની સાધના કરો. પરમાત્માની પ્રાપ્તિ થશે. સત્ય સંકલ્પપૂર્વકની સાધના આત્મસાક્ષાત્કાર સુધી પહોંચાડશે. તમારું જીવન અનેકને હિતકારક બનશે. જૈન શાસનની દિવ્ય પ્રભાવના કરી શકશો. (૧૦) દઢ વિશ્વાસ રાખીને શ્રીપાલ અને મયણાની જેમ જીવનની રંગભૂમિ ઉપર આવતા પ્રત્યેક પ્રસંગનું જિનશાસનની દષ્ટિએ મૂલ્યાંકન કરો, જિન આજ્ઞા મુજબ સત્યના માર્ગે ચાલો. જ્વલંત સફળતા (radiant success) તમારા હાથમાં જ છે. સાધના નિયમિત ચાલુ રાખો. પરમાત્માને જીવનના કેન્દ્ર સ્થાનમાં રાખો. પછી જુઓ કે કેવું દિવ્ય પરિણામ તમે મેળવી શકો છો. (૧૧) વિનથી ડરો નહિ, વિપ્નો પણ વિકાસ માટેબની જશે. દિવ્યસંકલ્પને પૂર્ણ કરવા માટે મળતી બધી તકોને જિન-કથિત માર્ગે ચાલીને સાર્થક કરો. (૧૨) કોઈનું પડાવી લેવાના, કોઈનું જાય તો તે મને મળે, બીજાને પાછળ પાડીને હું આગળ આવું, આવા ક્લિષ્ટ વિચારો તથા અમૈત્રી, ક્રોધ, ધૃણા, ઈર્ષા, અસૂયા-ધિક્કાર, સ્વાર્થભરેલી માયાવી વૃત્તિ, મલિન વાસનાઓ – આ બધા કાર્ય સિદ્ધિના માર્ગમાં પડેલા આડા પથ્થરો છે. આવા મલિન ભાવથી દૂર રહો. (૧૩) જિનેશ્વરની આજ્ઞા મુજબનું જીવન બનાવવા પ્રયત્નશીલ રહો. (૧૪) આ પુસ્તક અધ્યાત્મ યોગી પૂ. પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકરવિજયજી તરફથી મળેલ અણમોલ રત્નોમાં તમને સહભાગી બનાવવા લખવામાં આવ્યું છે. તે મુજબ સાધના કરી આત્મ સમૃદ્ધિના અનંત ખજાનાના માલિક બનો. સૌનું શુભ અને કલ્યાણ થાઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy