SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫ Correct Signals : ધ્યાન પ્રક્રિયા :કલ્પનાથી મહાવિદેહક્ષેત્રમાં સીમંધર સ્વામી ભગવાન પાસે જવું. સમવસરણમાં બિરાજમાન પ્રાતિહાર્યો અને અતિશયોથી યુક્ત પરમાત્માનું દર્શન કરવું. પરમાત્માની દેશના સાંભળવી. તદનુરૂપ સમ્યગ્દર્શન પામી, ચારિત્ર અંગીકાર કરવું. પ્રભુઆજ્ઞાને અનુરૂપ સાધના કરી આપણું શુદ્ધ આનંદમય સ્વરૂપ પ્રગટ કરવું વગેરે પ્રક્રિયા ભાવનારૂપે કલ્પનારૂપે – આજે જ ધ્યાનમાં બેસી શરૂ કરવી. Affermative Prayers :આજે મને સાક્ષાત્ ભાવ જિનેશ્વરનાં દર્શન થયાં ! હું ધન્ય બન્યો ! કૃતપુણ્ય બન્યો ! આજે મને સાક્ષાત્સાવ જિનેશ્વર પ્રભુની વાણી સાંભળવા મળી, આજે મને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યચારિત્રની પ્રાપ્તિ થઈ. નીચેની બાબતો ઉપર ખાસ ધ્યાન આપો. (૧) પરમાત્માની અચિંત્ય શક્તિ ઉપર નિષ્ઠાપૂર્વક દઢ શ્રદ્ધા રાખવી. પ્રભુ ઉપરની શ્રદ્ધા સંકલ્પની પૂર્તિ માટે જળ સિંચનનું કાર્ય કરે છે. (૨) પ્રયોગ મુજબનું ચિત્ર સ્પષ્ટ રાખો. આ માનસચિત્રમાં સર્જનાત્મક દિવ્ય શક્તિ છે. (૩) પ્રયોગમાં બની રહેલ વસ્તુને વર્તમાન કાળમાં બનતી જુઓ. (ભવિષ્યમાં આવું બનશે તેમ નહીં.) (૪) આશ્ચર્યકારક રીતે તમે બદલાઇ ગયા છો તેવું અનુભવો. (૫) તમારા જીવનના ભૂતકાળને ભૂલી જાઓ. ગઇ કાલ યાદ કરી નિરાશ ન બનો. આજથી નવું દિવ્ય જીવન શરૂ કરો. (૬) ખુલ્લા મનથી, હૃદયના ભાવપૂર્વક, નમ્રભાવે, પ્રેમપૂર્વક, દૃઢ શ્રદ્ધા સાથે, શાંત ચિત્તે, આનંદમય રીતે, તીવ્ર ભાવે ધ્યાન કરો. (૭) સંકલ્પ શક્તિ, સર્જનાત્મક દર્શન, પરમાત્મા ઉપરની દઢ શ્રદ્ધા અને ધ્યાનની તીવ્રતા તમારા માટે કેટલું આશ્ચર્યજનક પરિણામ લાવી શકે છે તેનો પ્રત્યક્ષ અનુભવ કરો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy