SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ ક્ષપક શ્રેણીની ભાવના ક્ષપક શ્રેણી આરોહણની ભાવનામાં પ્રવેશ હું આત્મા! જ્ઞાનાદિ અનંત ગુણ પર્યાયરૂપ છું, પર પુદ્ગલથી ન્યારો છું, નિશ્ચય નયે કરી શુદ્ધ છું, જ્ઞાન દર્શન સ્વરૂપ નિર્મળ છું, મારા સ્વરૂપમાં જ હવે હું સ્થિર બનું છું. ચેતના ગુણ તે મારી સત્તા છે. મારા શુદ્ધ આત્મસ્વરૂપના ધ્યાનમાં સર્વ કર્મનો ક્ષય કરું છું. અનંત જ્ઞાનાદિ ગુણમય, શુદ્ધ, નિષ્કલંક, નિરામય છું. આવો ભાવ કરું છું..................... આત્મસ્વરૂપમાં એકત્વ ધ્યાન...(આત્મ ધ્યાનમાં સ્થિર બનવું) આત્મસ્વરૂપનું તન્મયપણે ધ્યાન કરું છું....(ધ્યાન કરવું.) અનંત વીર્યશક્તિની સહાય વડે સ્વરૂપમાં સ્થિર બનું છું.......... (ધ્યાનમાં સ્થિર બની આવો અનુભવ કરવો.). પર્યાય ગુણમાં ભળી જાય છે............ ગુણ અને પર્યાય બન્ને દ્રવ્યમાં ભળી ગયા છે. ગુણપર્યાય અત્યારે દ્રવ્યમાં ભળી ગયા છે તેથી આત્મદ્રવ્યમાં સ્થિરતાનો પરમ આનંદ અહીં પ્રવર્તે છે... (આવી ભાવનાનો અનુભવ કરવો.) દર્શન અને ચારિત્ર બંને ગુણો જ્ઞાનધારામાં એકત્વપણે પરિણમ્યા છે. અભેદ રત્નત્રયીના પરિણામની ધારા છે... અહીં મહિના સર્વથા ક્ષયની ભાવના કરવી.... ઘાતી કર્મના ક્ષયની ભાવના કરવી. કેવળજ્ઞાનની પ્રાપ્તિના પૂર્ણ ભાવથી ભાવિત બનવું. અદ્દભુત યોગ..... અભુત ભાવ..... અભુત પરિણામની ધારા... અહીં થોડી ક્ષણો આત્માની કેવળજ્ઞાન અવસ્થાથી ભાવિત બની સ્થિર બનવું.......... (આવી ભાવના કરવી.) અવ્યાબાધ સુખ અને પૂર્ણ આનંદનો અનુભવ કરવો........... ધ્યાનમાં લીન બની સ્વરૂપ સ્થિરતાનો પરમાનંદ અનુભવવો..... (અહીં કેવલી સમુદૂઘાતની ભાવનાનો પરમ આનંદ પણ અનુભવી શકાય. અને છેલ્લે શુકલધ્યાનના છેલ્લા બે પાયાનું ચિંતન કરી, સિદ્ધશિલા ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy