SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ અનુભવે છે. "જાણ ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતો રે, લેશ્યા શુદ્ધ અલંકર્યો, મોહ વને નવિ ભમતો રે.” જગદાકારે, પુદ્દગલાકારે વૃત્તિને પરિણમાવવી તેને મોહનું વન સમજી તેનાથી દૂર રહે છે. અને આત્મસ્વભાવ રમણતામાં પ્રયત્નશીલ રહેવું તે જ ચારિત્ર છે તેવા ભાવમાં સાધક અનુત્તર વિમાનવાસી દેવ કરતાં અધિક સુખનો અનુભવ કરે છે .(સ્વરૂપ રમણતાનો ધ્યાન દ્વારા અનુભવ કરવો).. (અહીં પરમાત્માના ધ્યાનના અભેદ દ્વારા સ્વરૂપ રમણતાનો આનંદ સ્થિર બનીને અનુભવવો.) તે સમયે અનંત ઉપકારી પરમાત્મા અવસર જાણી ક્ષપક શ્રેણીમાં પ્રવેશ કરવા માટે દેશના આપે છે ઃ "હે ચેતન હંસ ! તું પરભાવનો કર્તા, ભોક્તા, ગ્રાહક નથી. તું તો સંપૂર્ણાનંદનો શુદ્ધ વિલાસી છો. અને તું જે પરભાવમાં રમી રહ્યો છે તથા પરભાવનો ભોગી થઈ રહ્યો છે તે તુજને ન ઘટે. તારૂં કાર્ય તો અનંત ગુણ પારિણામિક રૂપ સ્વરૂપ કર્તા ભોક્તાપણું છે. તે માટે હે ચેતન ! તું યથાર્થ જિનવાણી રૂપ અમૃતનું પાન કરીને - અનાદિ વિભાવ વિષ વારીને – પોતાનું તત્ત્વ સંભાળ. સ્વ અને પર દ્રવ્યનું વિભજન કરીને, દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મને ભિન્ન સમજી, તારા શુદ્ધ આત્મ દ્રવ્યને ગ્રહણ કર. અને તારા સ્વરૂપમાં એકત્વ ધ્યાને પરિણમી, સહજાનંદને તું કર. તે જ તારૂ કાર્ય છે. તેનું નિમિત્ત કારણ પરમાત્મા અને ઉપાદાન કા૨ણ તારો આત્મા અનંત શક્તિવંત છે. માટે જડ અને ચૈતન્યની ભેદ જ્ઞાન ધારાથી આત્મા અને પરનું વિભજન કરી, માત્ર એક શુધ્ધ આત્મ ઉપયોગે સ્થિર બની તારા પોતાના શુદ્ધ નિર્મળ, અખંડ અવિનાશી કેવળજ્ઞાન સ્વરૂપ પૂર્ણ આત્મ સ્વરૂપને પ્રગટ કરવા શુક્લ ધ્યાનની ધારાએ ચઢી આત્મસ્વરૂપ એકત્વે પરિણામ પામ. પરમાત્માની દેશનાની આપણા ઉપર અદ્ભુત અસર થઇ છે. આપણી અનંત વીર્યશક્તિ ઉલ્લાસિત બની છે. રોમાંચ..... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy