SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ કર્મ સબંધરૂપી આચ્છાદન સમયે પણ – સત્તાએ શુદ્ધ અને નિર્મળ છે. પરંતુ બુદ્ધિના વિપર્યાસ અને મિથ્યાભ્રમણાના કારણે તેવો અનુભવમાં આવતો નથી. અંતરાત્માની શુદ્ધ પ્રતીતિ અને અનુભવને આવરણ કરનાર મિથ્યાત્વમોહનીય છે. મિથ્યાત્વ મોહનીયના ક્ષયોપશમથી સમ્યગુ દર્શનના પ્રકાશથી જે નિર્મળ આનંદમય આત્મસ્વરૂપનો યત્કિંચિત્ તે અનુભવ કર્યો, તે આત્માના પૂર્ણાનંદ સ્વરૂપને પ્રગટ કરવા માટે સર્વબાહ્ય ઔપાધિક ભાવો છોડીને, બાહ્ય - અત્યંતર પરિગ્રહનો પરિત્યાગ કરીને, આત્મ ઉપયોગ સ્થિર થઈ, સ્વરૂપ રમણતાના પરમાનંદને અનુભવવા તત્પર બન.” ઉપર મુજબ પ્રભુની, સર્વ જીવ વિષયક અમૃત દેશના સાંભળી સર્વ જીવ સાથે આત્મસમાન ભાવે વર્તન તો એક માત્ર જિનેશ્વર ભગવંતે કહેલા ચારિત્રધર્મમાં જ છે. તે વિચારોથી સિકલ સર્વી હિતાશય અમૃત લક્ષણ સ્વપરિણામ એવ સાધુ ધર્મ) સકલ જીવરાશિના હિતના પરિણામ રૂપ ભાવો ઉત્પન્ન થયા. મારા એક જીવ ખાતર રોજના અસંખ્ય જીવોની હિંસા થઈ રહી છે તે હવે હું સહન નહિ કરી શકું. હું તે જીવોને હણતો નથી. મને પોતાને જ હણુ છું. જ્યાં જ્યાં વિશ્વમાં ચૈતન્ય છે તે મારૂં જ પોતાનું સામાન્ય રૂપ છે. આ ભાવની ધારાએ ચઢતાં સાધુપણાની પ્રાપ્તિની તીવ્ર ઝંખના થઈ..(સંવેદન કરવું.) દશનાની આપણા ઉપર અસર થાય છે તેવું સંવેદન કરવું.) પરમાત્માની દેશનામાં આત્માનું સ્વરૂપ અને પરમાનંદનું અદ્ભુત વર્ણન, આત્માના અનંત જ્ઞાન, અનંત દર્શન,અનંત ચારિત્ર, અવ્યાબાધ સુખ, અનંત ભોગ, પૂર્ણાનંદ વગેરેનું વર્ણન સાંભળી તે ઉપદેશને ભાવાત્મક રીતે ગ્રહણ કર્યો. તે શુદ્ધ આત્મસ્વરૂપની રૂચિ થઇ, પિપાસા થઇ, વૈરાગ્ય થયો, સંસારથી ઉદાસીનપણું થયું. આ સંસારી વિભાવ ઉપાધિ મારે અઘટતી છે. પર વસ્તુનું ગ્રહણ કરવું, રક્ષણ કરવું, કર્તૃત્વ, ભોસ્તૃત્વ, વ્યાપકત્વ તે વિભાવ છે, મારૂં સ્વરૂપ નથી. પરપુદ્ગલને ભોગવવું મારે માટે યોગ્ય નથી. તે સર્વને ત્યજું. વિભાવ દશાને વિષ ભક્ષણ સમાન જાણીને વિભાવ પ્રત્યે ઉદાસીનતા થઈ. પોતાની અનંત ગુણ સંપદા, પરમાનંદ, અનંત સુખ અને કેવળજ્ઞાનની અતિ તીવ્ર અભિલાષાથી પ્રભુજીને પ્રાર્થના કરું છું (આવી ભાવનાથી તીવ્રરીતે ભાવિત બનવું.)... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy