SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ આજ અમારું પુણ્ય પરાકાષ્ઠાએ પહોંચ્યું છે, ત્યારે જ આપનું દર્શન અમે પામ્યા છીએ. આપની વાણીનું શ્રવણ અને આજ્ઞાનું પાલન એ જ અમારા મહાન મહોદયનું કારણ છે. આપની વાણીનું શ્રવણ અમારાં સર્વ પાપોને નષ્ટ કરી, આત્માના પરમાનંદની પ્રાપ્તિનું પરમ કારણ છે.” પ્રભુના મધુર શબ્દને ઝીલવા માટે હૃદય અતિ તત્પર બન્યું છે ..............(આવું સંવેદન કરવું) તે સમયે અત્યંત કરૂણાવંત પરમાત્માએ પ્રવચન મુદ્રા કરી, અને સકળ પ્રાણીસંસાર શાન્ત બની ગયો.અને ૩પ વાણીના ગુણોથી યુક્ત યોજનગામિની, સર્વ આનંદપ્રદાયની, સર્વ પાપ પ્રણાશિની, મોહ તિમિર વિનાશિની, કલ્યાણ પરંપરાવર્ધિની, કર્મકાષ્ઠ દાહિની, ભવસંતાપહારિણી, મોહ-વિષ નિવારિણી, સકલ જીવ સંજીવની, જીવનજ્યોતિ પ્રકાશિની, પરમાત્મભાવ પ્રકાશિની , અનંત કલ્યાણ કારિણી સુમધુર વાણીથી માલકોશ રાગમાં પરમાત્માની દેશના શરૂ થઇ. તેને દેવોએ વાંસળીના સુમધુર સૂરથી-દિવ્ય ધ્વનિથી વિભૂષિત કરી. પ્રભુની દેશના સાંભળવામાં આપણા દશે પ્રાણ, સાડા ત્રણ ક્રોડ રોમરાજી, આત્માના અસંખ્યપ્રદેશોલીન થઈ ગયાં. આપણી સાતે ધાતુ ભૂદાઈ ગઈ. પરમાત્માની દેશનાનો શબ્દેશબ્દ આપણા આત્મામાં પરિણામ પામવા લાગ્યો. આપણા રોમેરોમ વિકસિત થઈ પ્રભુના વચનને ગ્રહણ કરે છે............ (આવું સંવેદન આપણને થઈ રહ્યું છે.) પ્રભુના વાણીનો એવો અતિશય છે કે સાંભળતાં જ આપણા પરિણામો-પ્રભુની વાણીને અનુરૂપ બનવા લાગે છે. પ્રભુ કહે છે તેવું જ આપણામાં બને છે તેવી ભાવુકતા ઉત્પન્ન થાય છે. પ્રભુ મને જ કહી રહ્યા છે તેવું દરેકને લાગે છે. પરમાત્માની દેશના - હે ભવ્યાત્મા ! અનંતકાળ પરિભ્રમણ કર્યા પછી, પ્રાપ્ત થયેલ મનુષ્યભવ આદિ સામગ્રીને સફળ કરવા માટે તત્પર બન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy