SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ગયો. ૧૯૬ પામ્યો આનંદ પૂર કે દુઃખ દૂર ગયાં, દીઠ તુમ દેદાર કે વાંછિત સવિ ફળ્યાં; પામ્યો નવનિધિ રિદ્ધિ કે સિદ્ધિ સવિ મિલી, દીઠે તુમ દેદાર કે આશા સવિ ફળી. 'મહાપ્રભુના પ્રભાવથી અહિંસાનું આંદોલન ઉત્પન્ન થયું છે. જન્મજાત વૈરને ધારણ કરનારા પ્રાણીઓ નૈસર્ગિકવૈરભાવથી મુક્ત બની પરસ્પર વાત્સલ્ય ભાવમાં વર્તવા લાગ્યાં. મૈત્રી ભાવનો મધુર રસ સમગ્ર પૃથ્વી મંડળમાં વ્યાપ્ત થઈ ....................(આવું દશ્ય જોવું.) આ સમયે કેવું દશ્ય ખડું થયું છે? સહસ્ત્ર યોજન ધ્વજ શોભતો અરિહંતાજી. પ્રભુ આગળ ચાલંત ભગવંતાજી. કનક કમલ નવ ઉપરે અરિહંતાજી, વિચરે પાય ઠવંત ભગવંતાજી. કાંટા પણ ઊંધા હોયે અરિહંતાજી, પંચવિષય અનુકુળ ભગવંતાજી. પતુ સમકાળે ફળે અરિહંતાજી, વાયુ નહીં પ્રતિકૂળ ભગવંતાજી. પંખી દીએ સુપ્રદક્ષિણા અરિહંતાજી વૃક્ષ નમે અસરાલ ભગવંતાજી. વૃક્ષ, લતાઓ વિવિધ વર્ણના પુષ્પોથી વિભૂષિત બની,સુમધુર રસવાળાં ફળો વડે મનોરંજક બની ગઈ ................ (આવું દશ્ય જોવું.). પવિત્ર પ્રાકૃતિક સૌંદર્યના વાતાવરણમાં દેવેન્દ્રો, નરેન્દ્રો, ચમરેન્દ્રો, કલ્પેન્દ્રો, ભવનેન્દ્રો, રાજઋદ્ધિ , દેવઋદ્ધિથી પરિવરેલા મહાપ્રભુના પાદારવિંદના દર્શનાર્થે આવી રહ્યા છે....... ..........(આવું દશ્ય જોવું.) આપણે મહાપ્રભુની સાથે જયાં દેવોએ સમવસરણની રચના કરી છે, તે તરફ જઇ રહયાં છીએ...........(આવું દશ્ય જોવું.) દેવોએ એક યોજન ભૂમિ પરિશુદ્ધ કરી, સુગંધિત વાયુનો સંચાર કરી શુદ્ધ બનાવી. તે ઉપર વજય પીઠિકા (Plinth) ૧૦૦૦૦ પગથિયાં ઊંચી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy