SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ ભાગ - ૨ સાન્નિધ્યની દિવ્ય પળો પરમાત્મ પ્રેમનો મધુર આસ્વાદ પરમાત્મ પ્રેમ દ્વારા અનુભવરસનો પરમ આસ્વાદ કેવી રીતે પ્રાપ્ત કરવો? મહોપાધ્યાય યશોવિજયજી મહારાજા શ્રીપાલરાસ નામના મહાકાવ્યના છેલ્લા કળશમાં બતાવે છે : પ્રેમ તણી પેરે શીખો સાધો, જોઈ શેલડી સાંઠો; જિહાં ગાંઠ તિહાં રસ નવિ દીસે, જિહાં રસ તિહાં નવિ ગાંઠો રે. (શ્રીપાલરાસ ખંડ-૪) Jain Education International શેરડીના સાંઠામાં જ્યાં ગાંઠ છે ત્યાં રસ નથી અને જ્યાં રસ છે ત્યાં ગાંઠ નથી. આ શેરડીના સાંઠાનું દષ્ટાંત લઈ સંસારી મનુષ્ય જે રીતે પ્રેમ કરે છે, તે રીતે અભેદતાથી અનુભવજ્ઞાન પ્રાપ્ત થાય છે. એક પ્રેમી માણસ પોતાની પ્રેમિકાના ઘેર ગયો. બારણું ખખડાવ્યું. અંદરથી અવાજ આવ્યો : ‘તમે કોણ છો !' પ્રેમી માણસે જવાબ આપ્યો : ‘હું છું.’ અંદરથી અવાજ આવ્યો : ‘આ મકાનમાં હું અને તું બન્નેનો પ્રવેશ નથી.’ પેલો માણસ જંગલમાં ચાલી ગયો. ઘણું મંથન કર્યું. પ્રેમિકાનું દ્વાર ખોલાવવું કેવી રીતે ? ઘણું મંથન કરતાં ઉકેલ હાથમાં આવી ગયો. ફરીથી પ્રેમિકાના દ્વાર ઉપર આવી બારણું ખખડાવે છે. અંદરથી એ જ અવાજ-‘તમે કોણ છો ?' પ્રેમી માણસે કહ્યું : ‘તું છે.' બારણું ખૂલી ગયું. અંદર પ્રવેશ થયો. સંસારમાં મનુષ્ય જે રીતે પ્રેમ કરે છે તે રીતે પરમાત્મ પ્રેમ દ્વારા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy