SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ પૂ. ગુરુમહારાજ સાધક – “વચ્ચે માંદગી આવે તો શું કરવું ?” “શરીરની શકિત ચાલે ત્યાં સુધી, વનભર.” પૂ. ગુરુમહરાજ “માંદગીનો વિચાર શાથી આવ્યો ? આપણે ભગવાનને શરણે જઈએ ત્યારે ભગવાન દ્વારા આપણું યોગક્ષેમ થાય છે જ” માંદગી વખતે છૂટ હોય છે; પરંતુ માંદગીનો વિચાર આવવો જ ન જોઈએ. પૂજ્ય ગુરુભગવંતના આશીર્વાદથી ૩૭ વર્ષમાં બેસણાનું પચ્ચક્ખાણ છોડવું પડે તેવો કોઈ પ્રસંગ આવ્યો નથી. બીજો નિયમ પૂ.ગુરુમહારાજ સિદ્ધચક્ર પૂજન અને રોજની સાધના પૂરી ન થાય ત્યાં સુધી પચ્ચક્ખાણ પારવું નહિ. (અન્ન-જળ વાપરવું નહિ.) આ નિયમથી સિદ્ધચક્ર ભગવંત પ્રત્યે તથા દરરોજની સાધના પ્રત્યે નિષ્ઠા બંધાય છે. પ્રમાદના કારણે સાધના છૂટી જતી નથી, જીવનભર અખંડ સાધના થાય છે. મોટું પૂજન હોય ત્યારે અષ્ટપ્રકારી પૂજા અને દરરોજની સાધના પછી જ પચ્ચક્ખાણ પારવું. - Jain Education International (૨૦૫૦ - ચૈત્ર સુદ-૧૫ ગુરુભગવંતના આશીર્વાદથી અખંડ ત્રીજો નિયમ આસો અને ચૈત્ર મહિનાની આયંબિલની ઓળી નિયમિત કરવી. નવપદ આપણો પ્રાણ છે. નવપદના કારણે આપણા શ્વાસોશ્વાસ ચાલે છે. આપણું યોગક્ષેમ નવપદના કારણે થઈ રહ્યું છે. આયંબિલની નવપદની ઓળી તો મહાપ્રભાવક તપ છે. શ્રીપાળ અને મયણાની સિદ્ધિ પાછળ આયંબિલની નવપદની ઓળી મુખ્ય કારણ છે. નવપદના પ્રભાવે આપણું જીવન ચાલે છે, તેવી કૃતજ્ઞતા મનમાં ધારણ કરી નવપદની આરાધના ચાલુ જ રાખવી. (દેવ-ગુરુ કૃપાથી ૨૦૧૩ના ચૈત્ર માસથી બંને ઓળી નિયમિત ચાલુ છે.) ૩૬ વર્ષ થયા, હજુ ઉપરનો નિયમ પૂ. ચાલુ રહી શક્યો છે.) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy