SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ભરત સત્તા, સંપત્તિ અને સૌંદર્ય ત્રણે મળીને સુખનું કારણ થાય છે. ચક્રવર્તી પાસે આ ત્રણે હોવા છતાં સૌંદર્યમાં શંકા નિવારવા નિત્ય આરિસા ભુવનમાં નીરખતા. ત્યાં એક દિવસ સૌંદર્ય વિષયક ભ્રમ ભાંગી ગયો, અને કેવળજ્ઞાન થયું. સૌંદર્ય એ દેહ, વસ્ત્ર કે આભૂષણમાં નથી, પણ આત્મામાં છે, અને આત્માને કારણે દેહ, વસ્ત્ર, આભૂષણ આદિ શોભે છે- એવો નિર્ણય થતાંની સાથે જ ભરત મહારાજાએ આત્મધ્યાન, શુકલ ધ્યાનારોહણ કરી, આરિસાભુવનમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ---X--- સોનાના વરખથી ભગવાનની પૂજા કરવાથી ચારિત્ર મોહનીય ખપે છે. સોનું ભગવાન ઉપર ચઢાવવાથી સોના ઉપરનો પ્રેમ ભગવાન ઉપર ઊતરે છે. આંગી એ પ્રભુની વૈયાવચ્ચ છે. ભકતની ભકિતનું દર્શન છે. - ---X--- ૨૦૩૪ - પીંડવાડાનો પ્રસંગ છે. પૂ. ગુરુમહારાજની શારીર્દિક સ્વસ્થતા ૨૦૩૩ના વૈશાખ મહિનાથી બગડતી જતી હતી. અસ્વસ્થ શારીરિક સ્થિતિ વચ્ચે પણ અદ્ભુત સમતા હતી. આજે શારીરિક સ્થિતિ કાંઈક ઠીક છે. સાધકને તેમની પાસે ૨૦૩૩૩૪માં ઘણો વખત રહેવાનું થયું હતું. સાધકને બાળકની જેમ તેમની સાથે વાર્તાલાપ થતો. સાધક “આપની શારીરિક સ્થિતિ સારી નથી. આપની અંતિમ આરાધના સારી રીતે કેમ થઈ શકશે ?’” પૂ. ગુરુમહારાજ “શરીર સારું નહિ હોય તો વાણીથી અને મનથી આરાધના થઈ શકશે.” સાધક – “આપને વાણીથી અત્યારે સરખું બોલી શકાતું પણ નથી.” પૂ. ગુરુમહારાજ – “વાણી નહિ ચાલે તો મનથી પ્રભુ સ્મરણ કરીશ.” સાધક – “આપનું મન પણ વ્યવસ્થિત કામ કરી શકતું નથી.” પૂ. ગુરુમહારાજ - (સૂતા હતા તે બેઠા થઈ ગયા !) “શરીર, વાણી Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy