SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ શુભ કે અશુભ અધ્યવસાય પ્રમાણે ઉદ્વર્તન અને અપવર્તનો કરણની અસર થાય છે. દા. ત. કોઈ જીવે એવું કર્મ બાંધ્યું છે કે, ૧૦૧ ડિગ્રી તાવ ત્રણ દિવસ સુધી આવે. હવે ૧૦૧ ડિગ્રી તે રસ કહેવાય અને ત્રણ દિવસ તે સ્થિતિ કહેવાય. અપવર્તન કરણની અસરથી જો આત્મામાં શુભ અધ્યવસાય ચાલતો હોય તો ૧૦૧ ડિગ્રી તાવને બદલે ૯૯ો (સાડીનવ્વાણું) થઈ જાય અને ત્રણ દિવસના બદલે ત્રણ કલાક થઈ જાય. આ રીતે શુભ અધ્યવસાયના બળથી અશુભ કર્મના સ્થિતિ અને રસ ઘટી જાય છે. હવે જો અશુભ અધ્યવસાય આત્મામાં ચાલતો હોય તો ઉદ્વર્તનો કરણની અસરથી અશુભના સ્થિતિ અને રસ વધી જાય છે. એટલે કે ૧૦૧ ડિગ્રી તાવને બદલે ૧૦૩ ડિગ્રી થાય અને ૩ દિવસને બદલે ૧૩ દિવસ થઈ જાય. આ રીતે શુભ અધ્યવસાયના બળથી, સત્તામાં રહેલા અશુભ કર્મના સ્થિતિ અને રસ ઘટે છે અને શુભ કર્મના સ્થિતિ અને રસ વધે છે તથા અશુભ અધ્યવસાયના બળથી અશુભના સ્થિતિ અને રસ વધે છે અને શુભના સ્થિતિ અને રસ ઘટે છે. ઉદીરણા કરણ દ્વારા સત્તામાં રહેલાં કર્મને વહેલાં ઉદયમાં આવે તેવાં કરાય છે. દા. ત. એક કર્મ એક હજાર વર્ષ પછી ઉદયમાં આવવાનું હતું તે ઉદીરણા કરણની અસરથી હમણાં ઉદયમાં આવે તેવું બને છે. ' ઉપશમના કરણની અસરથી સત્તામાં રહેલાં કર્મનો ઉપશમ થાય છે, એટલે હમણાં ઉદયમાં આવનાર કર્મને ઉપશમાવી શકાય છે. આ કર્મના નિયમોનો અભ્યાસ કરતાં સમજાય છે કે, પરમાત્માનું દર્શન, પૂજન, સ્તવન, ધ્યાન, સ્મરણ, આજ્ઞાપાલન આદિથી શુભ અધ્યવસાયનું બળ આત્મામાં વધે છે, અને શુભ અધ્યવસાયના બળથી અશુભ કર્મ શુભ રૂપે પલટાય છે. અશુભના સ્થિતિ અને રસ ઘટે છે, અને શુભ અધ્યવસાયનું બળ આત્મામાં વધે છે, જિન ભક્તિમાં અંતરાયને તોડવાની શકિત છે. તે કર્મોનાં સ્થિતિ, રસ-અનુબંધ તોડી નાખે છે. પરમાત્માનો અચિંત્ય પ્રભાવ કર્મના નિયમ અનુસાર જ ફળ આપે છે. કેટલાંક અપવાદ જોઈએ. ઉદયાવલિકામાં આવેલું કર્મ બદલી શકાતું નથી. (ઉદય આવલિકા અતિ અલ્પ સમયની હોય છે.) ઉદયાવલિકાની બહાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy