SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ મુશ્કેલીઓનો અંત આવતો નથી”- આવા વિચારોથી ઘેરાઈ જવાય ત્યારે પૂ. ગુરુમહારાજ કહેતા - “જગત સંપત્તિઓથી ભરેલું છે, વિપત્તિને સ્થાન જ ક્યાં છે ?” दुःखं दुष्कृतसंक्षयाय મહતાં, ઉત્તમ આત્માઓને દુઃખ દુષ્કર્મના ક્ષય માટે આવે છે. દુઃખ વખતે ઉત્તમ જનો વિચારે છે કે દુષ્કર્મ ભોગવાઈ ગયું, કર્મનો ભાર હળવો થયો. કોઈ વૈરી થાય, આપણા અવર્ણવાદ બોલે ત્યારે તે વૈરી ક્ષમાગુણના વિકાસ માટે છે. અનુકૂળ સંજોગોમાં બધા આપણા માટે સારૂં બોલે ત્યારે આપણામાં ક્ષમાગુણ કેટલો વિકાસ પામ્યો છે તે નક્કી ન કહેવાય; પરંતુ કોઈ વિરોધી ઊભો થાય ત્યારે તે વખતે ક્ષમા રાખવાની તક મળે છે અને ક્ષમા ગુણનો વિકાસ થાય છે. कायस्याशुचिता विरागपदवी, કાયાની અશુચિ વૈરાગ્ય માટે થાય છે. જરા અવસ્થા, ધરડપણ સંવેગનો હેતુ બને છે. ધરડપણ આવે ત્યારે ઉત્તમ જનો વિચારે છે કે બાળપણ, યુવાવસ્થા, ઘરડપણ ક્રમસર આવે છે અને જાય છે. જન્મ-મરણની ઘટમાળ નિરંતર ચાલુ છે. હવે ક્યારે જન્મ-મરણની ઘટમાળમાંથી છૂટીને મારી અજરામર અવસ્થાને પામીશ ! અનંત સુખ અને આનંદનું પરમધામ મારું આત્મસ્વરૂપ ક્યારે પ્રગટ કરીશ ! આવી ભાવના ઘરડપણનું નિમિત્ત પામીને ઉત્તમ જનો કરે છે. सर्वत्याग महोत्सवाय मरणं મરણ એ સર્વ ત્યાગનો મહોત્સવ છે. પૂ. ગુરુમહારાજના જીવનનો જ એક દિવ્ય પ્રસંગ છે. લુણાવા (રાજસ્થાન) ઉપાશ્રયમાં પૂ. ગુરુમહારાજ બિરાજમાન છે. શારીરિક સ્થિતિ સારી નથી. તે વખતે લુણાવામાં જિનભકિતનો મહોત્સવ થોડા દિવસમાં થવાનો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy