SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ આ સૂત્રના ચિંતનથી સ્વ આત્મામાં ગુણ પર્યાયથી કથંચિત ભિન્નાભિન્નતાનું જ્ઞાન થવાથી આત્મદ્રવ્યમાં લક્ષ્ય સ્થિર કરી પલટાતા પર્યાયોમાં જ્ઞાતા-દૃષ્ટાભાવ આવવાથી વિકલ્પ જાળ તૂટે છે અને અંતે સ્વ આત્મદ્રવ્યમાં તલ્લીનતારૂપ અભેદ અનુભૂતિ દ્વારા આત્મસાક્ષાત્કાર અને તેના ફળ સ્વરૂપ કૈવલ્ય અને મોક્ષનો લાભ થાય છે. નોંધ : ગુણપર્યાયવત્ દ્રવ્યનું આ સૂત્રની વિચારણા ચાલી રહી હતી તે સમયે પોષ્ટમેન ટપાલ લઈને આવ્યો. પત્ર વાંચીને પૂજ્ય ગુરુ મહારાજે કહ્યું “અમૃતલાલ કાળીદાસનો પર્યાય બદલાયો. જેને આપણે મૃત્યુ કહીએ છીએ તેને જ્ઞાની પુરુષો પર્યાય બદલાયો તેમ કહે છે. પર્યાય મનુષ્યનો હતો તે હવે દેવપર્યાય કે બીજા મનુષ્યના પર્યાયરૂપ પર્યાય બદલાયો, અવસ્થા બદલાઈ, અવસ્થાવાન (આત્મા) તેનો તે જ રહ્યો. (૫) ઉત્પાદ વ્યય ધોવ્ય યુક્ત સત્ - વસ્તુ માત્ર ત્રિધર્મયુકત – ઉત્પત્તિ, સ્થિતિ, અને વ્યયરૂપ છે. પ્રતિસમય થતો પૂર્વ પર્યાયનો નાશ, ઉત્તર પર્યાયનો ઉત્પાદ – વસ્તુ પ્રત્યેના મમત્વ ભાવનો નાશ કરે છે. વસ્તુ પ્રતિક્ષણ પલટણ સ્વભાવવાળી માનવાથી પર્યાય પ્રત્યે મારાપણાની બુદ્ધિ નાશ પામે છે. મમત્વભાવનો નાશ થવાથી સમત્વ ભાવની ઉત્પત્તિ થાય છે. પ્રત્યેક પર્યાયની પાછળ દ્રવ્ય તેનું તે જ છે એ વિચાર અહંભાવ-કર્તુત્વ બુદ્ધિનો નાશ કરે છે. હું કર્તા નથી પણ અકર્તા છું. જ્ઞાતા-દષ્ટા છું, ધ્રુવ છું, સ્થિર છું એ વિચાર મિથ્યા કર્તુત્વ બુદ્ધિનો અહંકાર નાશ કરે છે અને સ્થિર બુદ્ધિ ઉત્પન્ન કરે છે. દ્રવ્યદૃષ્ટિ (ધ્રૌવ્ય) અહંભાવનો નાશ કરે છે. પર્યાયદષ્ટિ (ઉત્પાદ-વ્યય) મમ ભાવનો નાશ કરે છે. અહમમત્વ બુદ્ધિનો અંત આવવાથી નિર્વિકલ્પ ચિન્માત્ર સ્થિતિ પેદા થાય તેને વિતરાગતા પણ કહી શકાય. “ધન્ય જનોને ઉલટ ઉદધિયું એક બિન્દુમેં ડાર્યા રે” -મહાયોગી ચિદાનંદજી મહારાજ આ વિશેષરૂપ સમુદ્રને ઉલટાવીને, મહાસત્તા સામાન્યરૂપ એક બિન્દુમાં નાખી, જેઓ પરમ શાન્તિ અનુભવે છે તેઓને ધન્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy