SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ પણ મારા પ્રિયતમ પ્રભુ દિલના દરિયા છે. માંગ્યું થોડું અને આપ્યું પોતાના સર્વસ્વનું દાન. ખરેખર `નિજ સ્વરૂપના દાતાનું બિરુદ પ્રભુ ! તમે સાર્થક કર્યું. પ્રભુ ! તમે તો તમારા અક્ષય અનંત ખજાનાનો મને માલિક બનાવી દીધો. ઈતને દિન મેં નાહી પીછાન્યો, મેરો જનમ ગયો અજાનમેં અબ તો અધિકારી હુઈ બેઠે, પ્રભુ ગુન અખય ખજાનમેં મેં મારા અલગ વ્યકિતત્વના વિસર્જન રૂપ `નમો' ભાવ પ્રગટ કર્યો. મેં કહ્યું : `નમો અરિહંતાણં' પ્રભુએ કહ્યું : 'તત્વમસિ' જેને નમે છે તે તું પોતે જ છે. ભકતે ભગવાનને પોતાના મન-વચન-કાયા સમર્પિત કર્યો. તો ભગવાન પાસે હતું `પરમાત્મ પદ' તે ભકતને દાનમાં આપ્યું. અંતરંગમાં પ્રભુ સાથે મેળાપ થયો, અભેદ મીલન થયું અને મીલન વખતે પ્રભુ-અનંતદાનના દાતારે પોતાનું સર્વસ્વ દાનમાં આપ્યું, અને ભકતે તે ગ્રહણ કરવા રૂપ અનંત લાભ મેળવ્યો. તત્ત્વથી આજે સમજાયું કે અનંતદાન શું છે ? અનંત લાભ શું છે? દેનાર છે આત્મ દ્રવ્ય (ભગવાન), લેનાર છે ભકત (પોતાની વર્તમાન પર્યાય), આપવાની વસ્તુ છે આત્મ ગુણ-આનંદ, અનંતસુખ, અનંતવીર્ય, કેવળજ્ઞાન આદિ અનંત ગુણ સમૃદ્ધિ. (૧) દેનાર આત્મદ્રવ્ય અનંત દાન આપે છે, (૨) લેનાર વર્તમાન પર્યાય દાન ગ્રહણ કરવારૂપ અનંત લાભ મેળવે છે, (૩) દેવાની વસ્તુ છે આત્મ ગુણો. જ્યારે વર્તમાન પર્યાય (ભક્ત) પ્રભુની એટલે શુદ્ધ આત્મદ્રવ્યની સન્મુખ બને છે, ત્યારે અનંતદાન દેનાર દ્રવ્યના અનંત ગુણ ગ્રહણ કરવા રૂપ અનંત લાભ મેળવે છે ત્યારે વર્તમાન પર્યાય નિર્મળ બનીને શુદ્ધ આત્મદ્રવ્યનો અભેદ સાધી પરમાનંદનો અનુભવ કરે છે. આ અતિ સૂક્ષ્મ વસ્તુ છે. પર્યાય ગુણમાં સમાઈ જાય છે અને ગુણ પર્યાય દ્રવ્યમાં સમાઈ જાય છે ત્યારે દ્રવ્ય, ગુણ અને પર્યાયનો એકતારૂપ અભેદ થતાં આત્મસાક્ષાત્કાર અનુભવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy