SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ મોટા માંઢાની પ્રતિષ્ઠા વખતે સિદ્ધચક્ર પૂજન અને તે પછી પૂ. ગુરુ ભગવંતની નિશ્રામાં જેટલાં પૂજન થયાં તેમાં પરમાત્મભાવ સંન્નિષ્ઠ, નવપદ ધ્યાનના સિદ્ધયોગી પૂ. ગુરુમહારાજ પરિવાર સાથે પધારે અને સાધક જે વર્ણન કરે તે સાંભળે અને પૂજન પછી તેમાં પૂર્તિ કરી આપે. સાધકની ભૂલો સુધારે. શાસ્ત્ર સાપેક્ષ રજૂઆત કરવા માટે અને સાંભળનારના હૃદયમાં પરમાત્મા પ્રત્યે ભકિત ઉત્પન્ન થાય તેવું વકતવ્ય રજૂ કરવા માટે પૂ. ગુરુમહારાજનું શિક્ષણ અતિ અતિ પ્રેરણાદાયી બની ગયું. ધન્ય છે શ્રીપાલને, ધન્ય છે મયણાને કે જે મુનિસુવ્રતસ્વામીભ.ના વખતમાં થઈ ગયાં, પરંતુ હજી તેમના અદ્ભુત વન પ્રસંગો આપણા હૃદયને સ્પર્શે છે. ધન્ય છે ગૌતમ ગણધર ભગવાનને કે જેમણે શ્રીપાલ અને મયણાનું દૃષ્ટાંત નવપદનું ધ્યાન કેવી રીતે કરવું તે વિષયમાં પર્ષદાની સમક્ષ કહ્યું કે જે આજે પણ આપણને દિવ્ય પ્રેરણા આપે છે. ધન્ય છે શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાને કે જેમણે ``સિરિ સિરિવાલ કહા" નામનો ગ્રંથ રચ્યો. અને ધન્ય છે મહોપાધ્યાય વિનયવિજયજી મહારાજાને અને મહોપાધ્યાય યશોવિજયજી મહારાજાને કે જેમણે આપણા જેવા બાળજીવો માટે ગુજરાતી ભાષામાં શ્રીપાલનો રાસ રચ્યો. જે રાસ આજે પણ આપણું સમ્યગ્દર્શન નિર્મળ કરે છે, આજે પણ આપણું ધ્યાન અરિહંત પ્રભુમાં કેન્દ્રિત કરાવે છે. અને ધન્ય છે અધ્યાત્મયોગી પૂ. પંન્યાસજી ભદ્રંકરવિજયજી મહારાજાને જેમણે શ્રીપાલના રાસના રહસ્યો ખુલ્લાં કરીને આપણને માર્ગદર્શન આપ્યું કે - મયણાને પૂજામાં આવેલો ભાવ અને શ્રીપાલને ભીડ વખતે થયેલું નવપદનું ધ્યાન આપણને પણ સ્પર્શવું જોઈએ. શ્રીપાલની જેમ દિનપ્રતિદિન વધુ તન્મયતા શ્રી નવપદજીના ધ્યાનમાં પ્રાપ્ત થાય તે માટે સદા ઉત્સાહિત બનવું જોઈએ. અને તન, મન, ધનની જે કાંઈ શક્તિઓ પ્રાપ્ત થાય તેના પ્રત્યે અહં મમત્વ ઉઠાવી લઈને શ્રી નવપદના શરણે રહેવું જોઈએ. વિશ્વમાં શ્રી નવપદની ભકિતનો નિષ્કામપણે પ્રચાર થાય એ માટે મળતી બધી તકોને સાર્થક કરી કૃતાર્થ થવું જોઈએ. જગતના જીવો શ્રી નવપદજીના સાચા આરાધક બને એવી આપણી ભાવનાને ફળીભૂત કરવા માટે અને આપણા જીવનમાં શ્રી નવપદજીની સાચી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy