SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ પાંચધારણા (A) એક હજાર પાંખડીવાળા કમળની કર્ણિકામાં રહેલા મેરૂ પર્વતના શિખર ઉપર રહેલા સ્ફટિક રત્નના સિંહાસનમાં આપણે બેઠા છીએ. (B) નાભિમાં અહ મંત્રનું ધ્યાન કરવું. (C) અહં ના રેફમાંથી અગ્નિજવાળા પ્રગટ થાય છે. (D) હ્રદયમાં ઊંધું લટકતું કમળ છે. તેમાં આઠ કર્મ છે. સર્વેના રેફમાંથી નીકળેલી અગ્નિજ્વાળામાં (જ્ઞાનવરણીય આદિ) આઠ કર્મો બળે છે. અગ્નિ વધુ વિસ્તૃત થતાં ભાવ કર્મ(રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન) બળે છે, પ્રચંડ અગ્નિજ્વાળામાં આપણું શરીર બળે છે. ધ્યાનાવસ્થામાં દહન થતું અનુભવવું. (E) પ્રચંડ પવનમાં રાખ ઊડી જાય છે. (F) ઘટાટોપ વાદળમાંથી અમૃતનો વરસાદ પડે છે. તેમાં સ્નાન કરી આપણે સ્વચ્છ-નિર્મળ બનીએ છીએ. (G) માત્ર શુદ્ધ આત્મા રહે છે. અહીં આત્મભાવના-આત્મધ્યાન કરવું અને આત્મસ્વરૂપનો અનુભવ કરી પરમાનંદમાં લીન બનવું. ધ્યાન પૂરું થયા પછીની પરમાત્માને પ્રાર્થના પ્રભુ છો ત્રિભુવનનાથ, દાસ છું તારો, કરૂણાનિધિ ! અભિલાષ આ છે મુજ એ ખરો; આતમ વસ્તુ સ્વભાવ સદા મુજ સાંભરો, ભાસન વાસન એહ ચરણ ધ્યાને ધરો. (શ્રી દેવચંદ્રજી કૃત સુવિધિનાથ ભગવાનનું સ્તવન.) હે ત્રણ જગતના નાથ ! કરૂણાનિધાન પરમાત્મા ! આપની પાસે મારી એક જ અભિલાષ છે. આત્માનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ મને નિરંતર યાદ રહો. હું કદી આત્માના સ્વરૂપને ભૂલું નહીં તેવું તમારા પ્રભાવથી થાઓ. આત્મ સ્વરૂપમાં જ તૃપ્તિ અને રમણતાનો પરમ આનંદ મારા અંદર નિત્ય રહો તેવી મારી અભિલાષા છે............. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy