SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) ગમ્મત સાથે જ્ઞાન આપવા માટે જૈન શબ્દોની ક્રોસ વર્ડ આપવી. (૩) યુવાવર્ગ, બાળકો અને સ્ત્રીઓ માટે વિવિધ પ્રકારની સ્પર્ધાઓ ભક્તિસંગીત, વક્તૃત્વ, નિબંધો વગેરેનું આયોજન કરવું અને તે બધાંને વર્તમાનપત્ર અને ટીવી. પર પ્રસારિત કરી જન સમાજમાં આકર્ષણ ઊભું કરવું. મેગેઝિનોમાં માત્ર સામાજિક ધાર્મિક અહેવાલો જ ન આપતાં તેને નવા આકર્ષક દ્રષ્ટિકોણથી તૈયાર કરવા. જૈન ધર્મ માત્ર ત્યાગનો ધર્મ નથી, શુષ્ક ધર્મ નથી એની સાક્ષી જૈન કવિઓએ રચેલા રાસાઓ, ફાગુઓ ભક્તિ કાવ્યો પૂરે છે. આ સાહિત્યને, સંગીત, નૃત્ય દ્વારા દેશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા પ્રચાર કરવો જોઇએ. જૈનધર્મના શિલ્પો, ચિત્રો વગેરે જૈન સંસ્કૃતિની અઢળક પૂંજી છે. તેને વિશ્વ સમક્ષ સમૂહ માધ્યમ દ્વારા રજૂ કરવી જોઇએ. આ કાર્યમાં સૌથી વધુ સહાય શિક્ષિત ગૃહિણીઓ અને સાધ્વી વર્ગની લઈ શકાય. સારા શિક્ષકો અને નિર્દેશકો દ્વારા તેને દશ્ય શ્રાવ્ય માધ્યમ પર મૂકી શકાય. શ્રેષ્ઠીઓએ જૈનત્વના પ્રચાર માટે તથા તેના ખર્ચને પહોંચી વળવા માટે પોતાના ખજાના ખાલી કરી દેવા જોઇએ. જૈન વિધિથી લગ્નો કરાવવા અને તેનો પ્રચાર ટી.વી. દ્વારા કરવો. જૈનધર્મના તત્ત્વો માત્ર ઉપાશ્રયમાં જ નહિ પણ ઘર ઘરમાં જઈને સમજાવવા જોઇએ. જૈનત્વનો સાચો પ્રચાર ગામડાઓમાં કરવો જોઇએ. વર્તમાનમાં ગામડામાં રોજી રોટીની તકો ઊભી કરવી જોઇએ. જેથી ત્યાંના જૈન લોકો હોય તેઓ ત્યાં જ રહે અને ત્યાંના દેરાસરોને સાચવે, ત્યાંના લોકોમાં જૈન ધર્મનો પ્રચાર કરે. સાધુ ભગવંતોએ ગામડાઓમાં વિહાર કરી ત્યાંના લોકોને પ્રબોધવા જોઈએ. જ્ઞાનધારા Jain Education International ૭૮ For Private & Personal Use Only જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy