SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ સારી દિશા તરફ “જ્ઞાનમહોય' બનવા માટે કેમ દોડ નહીં લગાવે? જૈન શ્રેષ્ઠિઓ તરફથી આવતો દાનનો પ્રવાહ જો થોડા સમય માટે આ “જ્ઞાનમહાનિધિ' તરફ વાળી દઈશું તો શાસનરક્ષાની એક ઉત્કૃષ્ટવિભાવના સિદ્ધ થશે. (૪) જ્ઞાનસત્રો અવારનવાર, વારે-તહેવાર કે કોઈ મોટાં દિવસોને નિમિત્તે (દા.ત. તીર્થકરોનાં પંચકલ્યાણક દિવસો, પર્યુષણનાં કે આયંબિલની ઓળીના દિવસો, પ્રતિષ્ઠા કે સાધર્મિક વાત્સલ્યોના દિવસોએ આદિ..) શ્રી સંઘમાં જૈન તત્વોનો પરિચય કરાવતી કાર્યશિબિરો, સંમેલનો, સંશોધનની કાર્યશાળાઓ, ધર્મપ્રચારક સભાઓ, કોન્ફરન્સો, પરિચર્યાઓ, બૌદ્ધિક ચર્ચાઓ, કોઈ વિશિષ્ટ સૂત્રની અર્થસંકલનાઓ, વિચારોનાં આદાનપ્રદાન માટે ખૂલ્લો મંચ, પ્રશ્નોત્તરીઓ, પુસ્તક પ્રકાશનો, માસિક મુખપત્રો આદિને આવરી લેતાં જ્ઞાનસત્રો જો યોજાય, તો ધર્મ પ્રચાર ને પ્રસાર થકી, સમાજનો મોટો વર્ગ જૈન આગમોનાં દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ અને ધર્મકથાનુયોગ એમ ચારે અનુયોગનાં પુણ્યદ્વારે ક્રમશઃ શનૈઃ શનેઃ પ્રવેશ પામે. (૫) ચિંતનસંઘર્ષનાં આ કઠીનકાળે શ્રમણોની કષ્ટસાધ્ય જીવનપદ્ધતિ થકી પ્રાપ્ત થતી ચિત્તશુદ્ધિ અને ચિત્તપ્રસન્નતાનો આલેખ પ્રકાશિત કરવો આજનાં યુવાનોમાં શ્રદ્ધેયતા વધારવા સત્યપ્રમાણોની આવશ્યકતા તો રહેવાની જ. તેમને ધર્માભિમુખ કરવા કદાચ આચારસંહિતામાં થોડી છૂટ મૂકવી પડે પણ શાસનરક્ષા કાજે તે ક્ષમ્ય જ ગણાશે. ઉદાહરણ તરીકે, - શ્રી નવકારમંત્ર, ઉવસગ્ગહરં સ્તોત્ર, ભક્તામર સ્તોત્ર, કલ્યાણ મંદિર સ્તોત્ર કે શક્રસ્તવ જેવા મહાચમત્કારિક સ્તોત્રો કે મંત્રો કે યંત્રોની સાધનાથી થતી અનુભૂતિઓ યોગ્ય આત્માઓને કહેવી. જ્ઞાનધારા. T (૭૦) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy