SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ મેધાસજ્જતા. (૩) અને એ આગમસૂત્રો સામાન્ય જનસમૂહો સુધી સમુચિતપણે પહોંચે તે માટે શાસ્ત્રોને પાંચ અંગમાં વિભાજન કરનાર (સૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા) નિરંતર શાસ્ત્રવ્યાસંગી, સમર્થ પૂર્વાચાર્યોની શાસનપ્રીતિ એવં પરહિતચિંતા. (૨) જૈનધર્મના બે મજબૂત પાયાનો પરિચય પરાપૂર્વથી અખંડ ને અનવરત રીતે વારસામાં ચાલ્યા આવતાં અને આ સાંપ્રતકાળે પણ જૈનધર્મને અડીખમ રાખનાર બે મજબૂત પાયા છે. (અ) સાહિત્ય (બ) તીર્થો. સાહિત્ય : જેન સાહિત્યની સમૃદ્ધિ વિશ્વભરમાં અજોડ છે. જૈનદર્શનનું સમગ્ર પ્રાચીન ને મધ્યકાલીન સાહિત્ય મુખ્યત્વે પ્રાકૃત, સંસ્કૃત તથા અપભ્રંશ ભાષામાં રચાયેલું મળે છે. જૈનસાહિત્યમાં શબ્દચાતુર્ય, અર્થગાંભીર્ય, વ્યાકરણશુદ્ધિ, કાવ્ય, છંદ, અલંકારોથી વિભૂષિત એવા દર્શન, તર્ક, જ્યોતિષ, ખગોળ, ભૂગોળ, આયુર્વેદ આદિ અગણ્ય વિષયોનાં ગદ્ય અને પદ્યમાં થયેલા નિરૂપણ વિષે આજનાં લોકોને પૂર્ણપણે જાણ જ નથી. ઉપરાંત સાહિત્યનાં અનેક પ્રકારો જેવા કે ફાગુ, બારમાસી, પવાડો, પ્રબંધ, રાસા, પૂજા સાહિત્ય, ગીતાકાવ્યો, હરિયાળી, ચરિય, છત્રીસી, બત્રીસી, વીસી, ઢબ્બા, સબકો, આખ્યાનો, ગઝલો, પદગીતો, છંદ, સઝાયો કડવાં, સ્તવનો, સ્તુતિઓ વગેરેમાં ઉત્તમ સર્જકોએ પદાર્પણ કરી સર્જન કર્યું છે. આજનાં યુવાનો ભલે બહુધા આત્મલક્ષી, અસ્થિર, ઉતાવળે ફળની આશા રાખનારાં, એહિક સમૃદ્ધિ મેળવવા અધીરાં, પ્રમાદી ક્રિયા તરફ અણગમો રાખનારાં, શિસ્તનાં અનાગ્રહી, મનોરંજનપ્રિય, ઉદદંડ, ઉશ્રુંખલ, અવિવેકી કે સાચા જ્ઞાન અને આચરણથી વિમુખ દેખાતાં હોય - આ જ યુવાનોમાં તે અવગુણો સાથે જ અનેક ગુણો પણ છે જ. જ્ઞાનધાર (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy