SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ થયેલા પ્રશ્નનો ઉકેલ. આવી પડેલી આપત્તિનું નિવારણ અને કોઈના પણ હૃદયમાં કે મનમાં કટુતા, રાગ, દ્વેષ ન જન્મે તેવા વિચાર, વાણી અને સંવાદનું આદાન પ્રદાન તે સંવાદિતા. ગણધરોના સમયમાં મથુરા બનારસ અને વલ્લભીપુરથી ચાલુ થયેલી વાંચણી અને બાદમાં અધિવેશનમાં પરિણમેલું સાધુઓનું મિલન દ્વારા ઘણા જ પ્રાણ પ્રશ્નો સંવાદિતાથી ઉકેલી શકાય તેમ છે. ‘Conference ની ચડતી પડતી' નો ઇતિહાસ નામના પુસ્તકમાં માનનીય શ્રી ત્રિભુવન હેમાણીના કહેવા પ્રમાણે છેલ્લું અધિવેશન ૧૧-૧૨-૧૩ એપ્રિલ ૧૯૪૧માં મુંબઈમાં થયેલ પરંતુ હવે આવા અધિવેશનની પણ તાતી જરૂરિયાત ઊભી થયેલ છે. વાડીલાલ મોતીલાલ શાહ તત્ત્વજ્ઞાનના સીમાસ્તંભોમાં સંવાદિતા માટે લખે છે કે જેમ એક સ્ટીમરનો કપ્તાન બે ખંડને સાંધી શકે છે, જેમ એક વ્યાપારી માલ ઉત્પન્ન કરનાર અને વાપરનાર વચ્ચે કડી બને છે, જેમ એક અમલદાર રાજા અને પ્રજા વચ્ચે પ્રેમ રચી આપે તેમ સાધુ સંત એક પ્રાણીથી બીજા પ્રાણીને સુરક્ષા, અભયદાન, જીવ અને શિવ વચ્ચે પ્રેમ રચાવી આપનાર મધ્યસ્થી સંવાદિતા દ્વારા બને છે. કોઈ પણ પ્રશ્ન વિચાર વિનિમયથી ઉકેલી શકાય પછી કદાચ તે ભારતપાકિસ્તાનનો હોય કે બે સંપ્રદાય વચ્ચેના આચાર્યોનો હોય. પરંતુ સિદ્ધાંત નિષ્ટ વાણી અને અનેકાન્તવાદને નજર સમક્ષ રાખીને દરેક પ્રશ્નનો ઉકેલ શક્ય છે. ગુણને પૂજનારો ધર્મ એક છે કર્મને સમજનારો ધર્મ એક છે અને નવકારને ગણનારો જૈન એક જ છે. અનેકતામાં એકતા વિવિધતામાં એકતા આ જ છે જૈનોની વિશેષતા. જ્ઞાનધારા - Jain Education International ૨૮ For Private & Personal Use Only જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy