SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પરંતુ પોતાના મતાગ્રહને હઠાગ્રહમાં બદલાવીને મિથ્યાત્વને પુષ્ટિ આપીને જો તેનું પોષણ કરી રહ્યા હોય તો તે ખૂબ શોચનીય છે! અને નિંદનીય છે! ત્યાર બાદ તેના ઉપર આક્ષેપો અને પ્રતિ આક્ષેપો ખૂબ જ ગંભીર પરિણામ સર્જી શકે છે. આ વિષમ પરિસ્થિતિમાં સમદ્રષ્ટિઓએ મહામુસીબતે પ્રાપ્ત કરેલા સમ્યક્રત્નની જતના કરવી અતિ મુશ્કેલ થઈ ગઈ છે અને જેનો અર્થ દૂર ઊભેલા એમ સમજે છે કે જેનોમાં એકતા નથી. આટલા બધા ગચ્છ, વાડા, સંપ્રદાય અને ફિરકામાં જૈનધર્મીઓ વહેંચાઈ જરૂર ગયા અને કાળક્રમે તેઓમાં મતભેદ પણ ઊભા થયા પરંતુ મનભેદ બિલકુલ નથી. હજી પણ બધા જ ચોવીસ તીર્થંકરમાં જ માને છે અને તેના ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામી છે તેમ સ્વીકારે છે. ક્રિયાયોગથી કદાચ તમે અલગ છો અને હું જ સાચો છું તેવું ભક્તિયોગથી માનવાવાળાને મારે કહેવું છે કે ભાવયોગથી તો તમારે સિદ્ધશિલા ઉપર જ પહોંચવું છે ને કે હજુ પણ ભવાટવિમાં ભટકવાની ઈચ્છા છે? એક સંપ્રદાયના ઉપાશ્રયમાં બીજા સંપ્રદાયનાં સાધુ-સાધ્વીને પ્રવેશ નહીં, તેનું ચાતુર્માસ નહીં થાય તેવું માનવાવાળાને કહેવું છે કે ઉપ એટલે આત્મા અને આશ્રય એટલે કે વાસ જેણે બધું જ ત્યાગીને આત્મામાં વાસ કર્યો છે તેવા સાધુ સંતો માટેનું આવું વલણ તમે શા માટે કરો છો ? તમે કર્મની નિર્જરા કરી રહ્યા છો કે વધુ બાંધી રહ્યા છો ? આ આત્મનિરીક્ષણનો અવસર છે. હવે વાત કરીએ સંગઠનની. સંગઠન એટલે કે એક જ પ્રકારની વિચારધારામાં માનનારા સમુદાયનું ગઠન એટલે કે સમૂહ બંધન. ફેક્ટરીમાં વર્કરોનું સંગઠન હોય, રાજકીય ક્ષેત્રે અલગ અલગ બીજેપી / સામ્યવાદી કે કોંગ્રેસીનું સંગઠન હોય પરંતુ આ તો ભગવાન મહાવીરનાં સિદ્ધાંતોમાં માનવાવાળા ફક્ત સંક્ષી પંચેન્દ્રિય એટલે કે સંપૂર્ણ જીવતત્ત્વ તરફ કરૂણા દર્શાવનારાનું સંગઠન છે. આનો વૈશ્વિક સ્તરે અમલ કરવાનો વારો આવી ગયો છે. જો માનવતાનું સંગઠન થાય તો જ પ્રભુ મહાવીરે રચેલી સપ્તભંગી, ગણધરનો સ્યાદવાદ, અને બધા જ તીર્થકરોનો અનેકાન્તવાદનો અમલ થયેલો ગણાય. જ્ઞાનધારા Jain Education International ૨૬ For Private & Personal Use Only જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy