SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ - " . " . ! જૈન ધર્મના સિદ્ધાંતો અને માનસિક શાંતિ – ડૉ. રાજેશ આર. પારેખ (ડૉ. રાજેશભાઈ અમદાવાદમાં અભિષેક નર્સિંગ હોમ ચલાવે છે જૈનધર્મના સાહિત્યમાં ખૂબ રસ લે છે. મેડીકલ કેમ્પ અને આરોગ્યલક્ષી વાર્તાલાપ દ્વારા સામાજિક સેવા કરે છે.). આપણું જીવન જન્મથી શરૂ કરીને મૃત્યુ સુધી અનેક પરિવર્તનોમાંથી પસાર થાય છે. જીવનમાં ઘણી ઘટનાઓ આપણને ગમે તેવી બને છે જે આનંદ આપે છે પણ ઘણી ઘટનાઓ ન ગમે તેવી બને છે જે દુઃખ પમાડે છે જ્યારે અણગમતી ઘટનાઓ બને ત્યારે તે વ્યક્તિને ચિંતાતુર બનાવે છે, તનાવગ્રસ્ત બનાવી દે છે. જીવનનાં કપરા સંજોગોમાં જૈનધર્મના મૂળભૂત સિદ્ધાંતો પ્રમાણે સમતા ધારણ કરવામાં આવે તો તે વ્યક્તિનું મન શાંત રહે છે અને આવી પડેલ મુશ્કેલી સમસ્યાનો ઉકેલ સમાધાન શોધી શકાય છે. ભગવાન મહાવીર સ્વામીના સંદેશ પ્રમાણે કોઈપણ જીવની હિંસા ન કરો, અસત્ય ન બોલો, ચોરી ન કરો, દરેક પ્રકારની વૃત્તિઓને કાબૂમાં રાખો, જરૂરતથી વધારે સંગ્રહ ન કરો. વગેરે જીવનમાં ઉતારવામાં આવે તો માનસિક શાંતિ ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થઈ શકે. - રોજિંદા જીવનમાં કરાતી સામાયિક કે પ્રતિકમણ એ અંતઃધ્યાનની " ક્રિયાઓ છે. જો આ ક્રિયા દરમિયાન અંતઃકરણપૂર્વક ધ્યાન ધરવામાં આવે તો વ્યક્તિ પોતાની વૃત્તિઓ ઉપર કાબૂ મેળવી શકે છે એટલું જ નહીં પરંતુ શારીરિક તેમજ માનસિક સ્વસ્થતા પ્રાપ્ત કરી શકે છે. સામાજિક-પ્રતિજ્ઞા સૂત્રમાં માણસા, વસા, કાયસા એટલે મન, વચન અને કાયાથી કરેલાં પાપકર્મમાંથી પાછા ફરવાની વાત છે. કરેલાં કર્મો જ્ઞાનધારા (૧૯૫) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Jain Education International · For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy