SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાનો સમ્યક પુરુષાર્થ કર્યો. ભદ્રબાહુસ્વામીજી રચિત ઉવસગ્ગહરં સ્તોત્રના જય ધ્વનિના પ્રભાવે રાજ્યમાં મરકી જેવો રોગ દૂર થયો હતો. ચારિત્ર્યપાલન અને સાધનાના પરિપાક રૂપે પ્રાપ્ત થયેલી આ લબ્ધિનો પ્રયોગ સંતો સ્વાર્થ, સ્વસુખ-સગવડ, પ્રસિદ્ધિ કે ચમત્કાર માટે કદી કરતાં નથી. સંઘ કે રાષ્ટ્ર પર આવેલી આપત્તિ નિવારવા છેલ્લા શસ્ત્ર રૂપે જ કરે છે. આ દ્વારા સંતોના લબ્ધિપ્રયોગનું દિશા દર્શન થાય છે. રાજ્ય અને કેન્દ્રીય કરવેરા ભરવામાં જેનો અગ્રેસર છે. જેનોના અપરિગ્રહ અને ત્યાગ ભાવનાનો સિદ્ધાંત ભારતીય સંસ્કૃતિની દાનભાવનાને પુષ્ટ કરે છે જેથી દેશની કેટલીય સામાજિક શૈક્ષણિક ધાર્મિક તબીબ (મેડીકલ) સંસ્થાઓમાં જેનોનું મોટું યોગદાન છે. હોસ્પિટલ, સ્કૂલો, ટાઉન હોલ, ધર્મશાળા, વ.ની સ્થાપના કરવામાં જૈનોએ પોતાના દાનનો પ્રવાહ સતત વહાવ્યો છે. પ્રાંત ભાષા અને ધર્મના ભેદભાવ વિના સમગ્ર દેશમાં દરેક ક્ષેત્રમાં જેનોની મોટી સખાવતો છે. સહઅસ્તિત્વનો સિદ્ધાંત જૈન ધર્મનો પાયો છે. જીવો અને જીવવા દો અહિંસા કરુણા અને દયાધર્મનો અવિભાજ્ય અંગ રૂપે રવીકાર થયો છે. જેને ધર્મમાં ગાયો અને ગૌવંશની જાળવણીને પ્રથમથી જ મહત્વ અપાયું છે. ભગવાન મહાવીરના શ્રાવકો આનંદ, કામદેવ, ચૂલની પિતા, ચૂલણીશતક, કુંડકોલિક, સુરાદેવ, મહાશતક વગેરે પાસે મોટી સંખ્યામાં ગોકુલો હતા. ગોરક્ષા માટે અનેક જૈનધર્મી રાજાઓ, નગરશેઠ અને અનેક જૈનાચાર્યોનું યોગદાન ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. શાકાહારની તરફેણ કરતો જેનધર્મ રાષ્ટ્રના પશુધનના રક્ષણ અને સંવર્ધનમાં સતત સહાયક બને છે. મોટા ભાગની જીવદયા સંસ્થાઓ, પાંજરાપોળ કે ગૌશાળા જેનોના આર્થિક અનુદાનથી નભે છે. ઉપભોગ પરિભોગના પરિમાણ વ્રતમાં સંયમ અને એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવો પ્રત્યેની કરૂણાનો ભાવ અભિપ્રેત છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના બેફામ ઉપયોગ સામે વિવેકપૂર્વક સંયમિત ઉપયોગ કરવા જણાવ્યું છે. શાકાહાર અને અહિંસા રાષ્ટ્રના પર્યાવરણના સંતુલન જ્ઞાનધારા જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy