SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ કરાય છે. આનાથી અન્ય ધર્મ પ્રત્યે પૂર્વગ્રહ અને ધર્મ ઝનૂન ઘટશે. લોકસંજ્ઞા એટલે પરંપરાને જડતાથી પકડવી, રૂઢિ કુરીવાજને પોષવા. લોકો કરે છે માટે કરવું' આ લોકસંજ્ઞાને લોક ઉદ્યોત કરનારના તે ક્રાંત સંતોના માર્ગદર્શને ચાલનારી સંઘની સામુદાયિક જીવન સાધનાથી સંસ્કારાય છે. ક્રોધ વેર, ઝેર, ઈર્ષાની સંજ્ઞા સૂત્રધર્મના પાલન અને શ્રુત ભક્તિથી એટલે સમ્યકજ્ઞાનની સાધના કરવાથી સંસ્કારાય છે. માન, મદ અને અભિમાનની સંજ્ઞા, વ્રત સંકલ્પની અર્પણતા શીખવતા, વ્રત-ધર્મ અને વિનયથી સંસ્કારાય છે. દંભ, દર્પ, કપટ અને માયાની સંજ્ઞા સત્ ચારિત્ર્ય અને શૈર્યધર્મના પાલનથી સંસ્કારાય છે. તૃષ્ણા અને લોભની સંજ્ઞા “જીવન આત્મધર્મ' છે. તે શીખવતા ત્યાગ ભાવના અને સંતોષ દ્વારા સંસ્કારાય છે. આમ કુલ ગ્રામ, નગર, ગણ, રાષ્ટ્ર, સંઘ, સૂત્ર, વ્રત, ચારિત્ર, આત્મધર્મ તેના નાયકો સંસ્થા અને સંગઠન દ્વારા સંજ્ઞા સંસ્કારની સંસ્કૃતિ નિર્મિત થાય છે. જો રાષ્ટ્રના નાગરિકોની આ દસ સંજ્ઞાથી સંસ્કારિતા થાય તો રાષ્ટ્રના નાગરિકો ચારિત્ર્યવાન ઓજસ્વી અને તેજસ્વી બને. - જિનાગમમાં વર્ણવેલા આ દશ ધર્મ દ્વારા માનવીમાં રહેલી દરેક સંશાનું સંસ્કરણ કરવામાં આવે, તો કુટુંબ અને રાષ્ટ્રનું હિત તો થાય જ, પરંતુ માનવીનું આત્મોત્થાન પણ જરૂર થાય. ગુજરાતના એક અગ્રણી સમાજ સુધારક શ્રીમહીપતરામ રૂપરામ એમ માનતા હતા કે જૈન ધર્મથી ભારતવર્ષની અધોગતિ થઈ છે. એક વાર શ્રીમદ્ રાજચંદ્રજી સાથે એમનો મેળાપ થયો. શ્રીમદ્જીએ પૂછયું ભાઈ જેન ધર્મ - અહિંસા સત્ય, સંપ, દયા સર્વ પ્રાણીખિત પરમાર્થ પરોપકાર, ન્યાય, નીતિ, આરોગ્યપ્રદ, આહારપાન, નિવસનતા, ઉદ્યમ આદિનો બોધ કરે છે? મહીપતરામ કહે “હા' જ્ઞાનધારા (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy