SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ આપણા ચિરપરિચિત અંકો અને શૂન્ય તથા દશાંશ પદ્ધતિ (Decimal system) ની શોધ, ઉપયોગ અને તેની નક્કર સ્વરૂપમાં સ્થાપના વગેરે ઈ.સ. પૂર્વે ૪૦૦ થી લઈને ઈ.સ. ૪૦૦ સુધીમાં થઈ છે, એમ આજના સંશોધકો માને છે. તે જમાનામાં ભૂમિતિને ક્ષેત્ર ગણિત (Field Arithmetic) કહેવામાં આવતું હતું અને અંકગણિતને ધૂલિ ગણિત કે કર્મ અથવા પાટી ગણિત કહેવામાં આવતું હતું. આશ્ચર્યકારક પરંતુ સત્ય હકીકત એ છે કે ભારતીય ગણિતમાં છેક શરૂઆતથી ૧૦ ને ગણતરીના પાયા (base) તરીકે લેવામાં આવ્યો છે. લખવાની પદ્ધતિ શરૂ થઈ એ પહેલાં જ ૧૦ના પાયાવાળી ઘણી મોટી સંખ્યાઓનો ભારતીય પ્રજા ઉપયોગ કરતી હતી અને તે આ પ્રમાણે હતી. એક (૧) દશ (૧૦), સહસ્ત્ર (૧૦૦૦), અયુત (૧૦,૦૦૦) વગેરે પરાર્ધ (૧,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦) એટલે એક ઉપર ૧૮ મીંડા સુધીની સંખ્યાઓ છે. લલિત વિસ્તર' નામના એક પ્રાચીન ગ્રંથમાં ૧૦ના પાયા base વાળી સંખ્યા જોવા મળે છે. તે ગ્રંથ પ્રાયઃ ઈસ. પૂર્વે ૧૦૦ વર્ષે રચાયેલ છે. જંબુદ્વિીપનો પરિધિ કાઢવા માટે જંબુદ્વીપના વ્યાસ (વિષ્કલ્પ)નો વર્ગ કરી તેને ૧૦ વડે ગુણી વર્ગમૂળ કાઢવું. અને તે જ જંબુદ્વીપનો પરિથિ ગણાય છે. તેને સૂત્રાત્મક રીતે નીચે પ્રમાણે લખી શકાય. પરિથિ /10 (વિષ્કલ્પ) ...... (૧) આધુનિક ગણિતશાસ્ત્રમાં વર્તુળનો પરિષિ કાઢવા માટે નીચેનું સૂત્ર વપરાય છે. પરિધિ 2 ત્રિજ્યા ............ (૨) સૂત્ર -૧ અને સૂત્ર - ૨ સરખાવતાં 1 = 10 આવે છે. એટલે 1 = 3.1622776 લગભગ આવે છે. ઉપરની રીત પ્રમાણે કાઢેલ જંબુદ્વીપના પરિથિને વિષ્ફલ્મ (વ્યાસ) ના ચોથા ભાગ એટલે કે ત્રિજ્યાના અડધા ભાગ વડે ગુણતાં ગણિતપદ એટલે કે જ્ઞાનધારા ૧૭૪) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Jaint Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy