SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ યુવાવસ્થાએ પહોંચવાનું હોતું નથી, પરંતુ ત્યાં ઉત્પન્ન થતાંની સાથે જ પુખ્ત યુવાન શરીર પ્રાપ્ત થાય છે વગેરે સાથે આ હકીકતો આબેહૂબ મળતી આવે છે ! કર્મવાદની સાબિતી આપણા પ્રત્યેક વિચાર વર્તનના આપણને ભોગવવા પડતા પ્રત્યાઘાતોની વિશદ સમજ આપતો કર્મનો સિદ્ધાંત જૈન, બૌદ્ધ, હિંદુ આદિ આધ્યાત્મિક વિચારધારાઓમાં અપનાવાયેલો છે. પરામનોવિજ્ઞાનનાં સંશોધનો દરમ્યાન કર્મના એ સિદ્ધાંતને પણ સમર્થન મળ્યું છે. ‘બીજો જન્મ ક્યાં લેવો એની પસંદગી કરી શકાય છે ખરી?' એ પ્રશ્નનો ‘એજ-રીગ્રેશન'ના અખતરાઓ દરમ્યાન ઉત્તર મળ્યો છે કે ‘એવી પસંદગી કરી શકાતી નથી, પરંતુ પૃથ્વી ઉપરનું પહેલાંનું જીવન કે અન્ય ગ્રહો ઉપર વચ્ચે વીતાવેલું જીવન વ્યક્તિએ જે રીતે ગાળ્યું હોય એને અનુસારે જ નવા જીવનમાં તે કયું શરીર ધારણ કરે અને સમાજમાં કેટલો મોભો ધરાવે તે નક્કી થતું હોય છે.’ ‘હિપ્નોટીક ટ્રાન્સ'ની મદદથી એક હજારથી યે વધુ વ્યક્તિઓનાં પૂર્વજીવનોનો અભ્યાસ કર્યા પછી ડૉ. એલેક્ઝાંડર કેનને નોંધ્યું છે કે, ગત જન્મમાં આચરેલ કોઈ દુષ્ટ કૃત્યના બદલામાં તે વ્યક્તિ, ક્રિયાપ્રતિક્રિયાના આ નિયમના કારણે, આ જીવનમાં કેવી રીતે દુઃખી થાય છે તે દર્શાવીને, આ અભ્યાસ, પ્રકૃતિતંત્રમાં અત્યંત વ્યાપક અર્થમાં પ્રવર્તતા અદલ ન્યાયની વાત કહી જાય છે. કેટલાય માણસો નથી સમજી શકતા કે, તેમના માથે ઉપરાઉપરી અનેક આપત્તિઓ કેમ ત્રાટક્યા કરે છે? એમના ગત જન્મોમાં નજર નાખતાં જણાય છે કે એમણે પૂર્વે ક્રૂર કર્મો કર્યા છે. જ્યારે કોઈ આજે ગમે તેમ વર્તે છે તો ય એના પાસાં પોબાર જ નજરે પડે છે, ગત જન્મોમાં એણે કરેલ કોઈ સત્કાર્યનું પુણ્યકર્મનું એ ઈનામ ન હોઈ શકે ? એજ રીગ્રેશનના સફળ પ્રયોજક અને પુનર્જન્મના સિદ્ધાંતના પ્રખર પુરસ્કર્તા ડૉ. હેલન વામ્બાક તેમના પુસ્તક (Life before Life) માં કહે છે : ‘મારાં સંશોધનનાં પરિણામો પરથી કહું તો, ગત જન્મોના સંબંધો ‘લોહીના જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા Jain Education International ૧૭૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy