SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ આપણી નજર સામે આવે છે. જૈન દર્શને ત્રસ અને સ્થાવર જીવોની વાત કરી છે. ત્રસ જીવોમાં પણ ઇન્દ્રિયોને અનુલક્ષીને એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય, ચોરેન્દ્રિય અને પંચેન્દ્રિય-સંક્ષિ અને અસંક્ષિ એવા વિભાગો પણ પાડ્યા છે. અન્ય ધર્મો પણ ત્રસજીવોમાં પ્રાણ હોવાનું કહે છે. કેટલાંક વનસ્પતિમાં જીવ હોવાની વાત કરી અટકી જાય છે પણ જૈનદર્શન ત્યાં અટકતું નથી. તેની સજીવોની વ્યાખ્યામાં તો પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય અને વાયુકાયના જીવોનો પણ સમાવેશ થાય છે. સજીવોનું જગત જૈન દર્શનના મતે ઘણું વિસ્તીર્ણ છે, તેનો વ્યાપ હાલના વિજ્ઞાનના કરતા મોટો છે. યુગો પૂર્વે કહેવાયું છે. આ જીવલોકના વ્યાપને ધ્યાનમાં રાખીને જૈન આગમોએ શ્રમણોનો આચાર એવો ઘડ્યો કે નિરતિચાર ચારિત્ર્યપાલન એક આદર્શ બની ગયો. હજારો વર્ષોથી આ શ્રમણાચારનું પાલન કોઈ સ્ખલન વિના અનેક સાધુ સાધ્વીજીઓ કરી રહ્યા છે અને જગતને પર્યાવરણના સંરક્ષણનો વણકહ્યો સંદેશ આપી રહ્યા છે. ઔદ્યોગિકરણ અને સભ્યતાના કહેવાતા વિકાસમાં તેઓનું જીવન આલમની આઠમી અજાયબી જેવું છે. સચિત્તનો સ્પર્શ સુદ્ધાં તેમને વર્જિત છે. સમસ્ત જીવસૃષ્ટિને અભય-પ્રદાન કરતું તેમનું જીવન તેમના અનુયાયીઓ એવા શ્રાવક-શ્રાવિકાઓને અંશત: અજવાળી દે છે અને નિરપરાધી જીવોની હત્યાનો ત્યાગ એ શ્રાવક જીવનનો આદર્શ બન્યો છે. બીજી તરફ પ્રકૃતિની સંપદાનો આડેધડ ઉપયોગ કરવાની પણ મનાઈ જૈનધર્મવાસિત જનોને કરવામાં આવી છે. તેમના વ્યાપારો અને કર્માદાનોમાં.. ઇંગાલ કર્મ અંગારક કર્મ વનના લાકડાના કોલસા પાડવાના વન કર્મ – વનોનો નાશ કરી ઇમારતી લાકડાઓ વેચવાની સ્ફોટક કર્મ ભૂમિમાં ખનન કરી ખાણકામના ખનિજો, ક્રુડતેલ મેળવવાની. દગિદાવણયા - વનોમાં આગ લગાડવાની જ્ઞાનધારા - Jain Education International ૧૬૧ For Private & Personal Use Only જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy