SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ અગત્યના નિયામક ગણાતા નવ ગ્રહોને - જીવનની ઘડિયાળ પર ફરતા કાંટા સમાન ગણાવે છે. ગાડીમાં ઈન્ડીકેટર હોય છે. પેટ્રોલની ટાંકીમાં કેટલું પેટ્રોલ છે એ બતાવતો કાંટો, - પેટ્રોલ ખાલી પણ નથી કરતો કે પેટ્રોલ ભરતો પણ નથી. કાંટો empty ખાલી બતાવે તો કાંટો ઊંચો કરી દેવાથી ગાડી ન ચાલે તેમાં પેટ્રોલ ભરાવવા જવું પડે. ભગવાન મહાવીર આ નવગ્રહોની વાત આઠ કર્મ દ્વારા બતાવે છે જે સંપૂર્ણ રીતે બુદ્ધિગમ્ય અને વૈજ્ઞાનિક છે. ૮ કર્મ અને નવા મુખ્ય ગ્રહ વચ્ચે અંકોનો તફાવત દેખાય છે તે પણ હકીકત નથી. કર્મ આઠ છે અને ગ્રહ પણ આઠ છે મસ્તક અને ધડ મળી આખું શરીર બને એવા રાહુ અને કેતુને-એક ગણી તેને અંતરાય કર્મનું પ્રતીક બતાવે છે. કર્મના ક્રમ પ્રમાણે બરાબર જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય કર્મની મીમાંસા અને સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિનું શાસ્ત્રીય સ્વરૂપ સરખાવીએ તો જૈન દર્શનનું તેનું વિજ્ઞાન સ્પષ્ટ અને સરલ લાગશે. આ ઉપરાંત જેના આધારે શુકન-અપશુકન નક્કી કરીએ છીએ તે ચોઘડિયાં જે આકાશમાં રહેલા ગ્રહ-નક્ષત્રના સ્થાન સાથે કાયમી રીતે ગોઠવાયેલા મનાય છે તે પ્રત્યેક જીવને સમાન ફળ આપતા દેખાતા નથી. તેનું રહસ્ય જૈનદર્શન સમજાવતા કહે છે કે નભોમંડળ-ભૂમંડળ અને નાભિમંડળ આ ત્રણથી પ્રત્યેક જીવ જોડાયેલો છે. નભોમંડળ કે ભૂમંડળની અસરો નકારી ન શકાય પણ નાભિમંડળ જેનું સંચાલન કરે છે. એ તાકાત આત્મશાસિત હોવાથી તેને બળવાન કરી શકાય છે. ભગવાન મહાવીરે દર્શાવેલા નવતત્ત્વ જે સંક્ષેપમાં ૭ તત્વ છે કારણકે આશ્રવ તત્ત્વમાં પુણ્ય અને પાપતત્વનો સમાવેશ થઈ જાય છે. આ સાત તત્વ અને ૭ ચોઘડિયાં વચ્ચે કંઈક સંબંધ છે. કાળની દષ્ટિએ ચાલતું ચોઘડિયું અને ભાવાત્મક જગતમાં ચાલતી પ્રક્રિયા જુદી જુદી હોઈ શકે છે. રેખર તો જીવ પોતાનું ચોઘડિયું પોતે જ ઘડી શકે છે. જીવતત્વ સાથે રાગદ્વેષમાં ઝૂલતો ભાવ-એ શનિવાર ૧૪૪ (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy