SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ - હિંસા કોને કહેવાય? જેનોનાં તત્ત્વાર્થ સૂત્ર ૭/૮માં હિંસાની વ્યાખ્યા આપતા સૂત્રકાર કહે છે. પ્રયોગાત્ પ્રણવ્યપરોપvi હિંસા |પ્રમત્તયોગથી થતો જે પ્રાણવધ તે હિંસા કહેવાય. સામાન્ય રીતે પ્રાણવધ તે હિંસા એવી છે વ્યાપક સમજ છે તેનાથી ઊંડી અને જટિલ હિંસાની વ્યાખ્યા શાસ્ત્ર રજુ કરે છે તથા તેને સ્પષ્ટ સમજી લઈએ. હિંસાના પાપનો આધાર મનની ભાવના પર ઃ જીવ જીવસ્ય જીવન” એટલે કે એક જીવ બીજા જીવને મારી નાખીને જ જીવી શકે છે. મતલબ કે હિંસાનું દોષપણું એ હિંસાની ભાવના પર જ વિશેષપણે અવલંબે છે; ક્રિયા પર નહિ. મનઃ પર મનુષ્યનાં વંશમોક્ષણો: એ સૂત્ર મુજબ મન - હિંસાનો ભાવ કે અભાવ એ જ મનુષ્યના પાપબંધ કે મોક્ષનું કારણ બને છે. સંપૂર્ણ અહિંસાનો અશક્ય આદર્શનું વિધાન શા માટે? દેહધારીથી જીવનમાં સંપૂર્ણ અહિંસાનો આદર્શ અશક્ય જ છે તો પછી તેવા આદર્શનું વિધાન શા માટે ? પ્રાણાજનો કહે છે કે આદર્શ તો હંમેશાં ખૂબ ઉચ્ચ લગભગ અશક્ય જેવો હોવો જોઈએ. જેમ પ્રેસના છાપેલા અક્ષર જેવા આપણાં અક્ષરો ન બની શકે છતાંય શિક્ષણમાં પ્રવેશતા બાળકને છાપેલા અક્ષરનો નમૂનો-કિતાબ સામે રાખે છે અને ત્યારે જ લગભગ છાપેલા સુંદર અક્ષર બની શકે છે તેમ અશકય જેવો ઉચ્ચ આદર્શ હોય તો જ તેને વધુમાં વધુ સાધ્ય કરી શકાય છે. એ જ રીતે અહિંસાનાં ઉચ્ચ શિખરો પ્રાપ્ત કરવા, સંપૂર્ણ અહિંસાનો આદર્શ નજર સમક્ષ રાખવો જોઈએ. મુનિ અને ગૃહસ્થના અહિંસાધર્મમાં પ્રભાવક સ્થાનધર્મ : મુનિધર્મ શ્રેષ્ઠ અને મોક્ષમાર્ગવાળો છે તેથી મુનિની અહિંસા અને બીજા ધર્મો ગૃહસ્થ પણ જેટલા અંશે આચરી શકે તેટલું વધુ શ્રેય એવી વિચારધારા પ્રચલિત થતી રહી છે તેમાં સ્થાનધર્મ સૂકાઈ જતો હોવાથી તેટલે (જ્ઞાનધારા ) ૧૧૨) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy