SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ જીવદયા અને અહિંસા વગર સમસ્ત વિશ્વમાં કોઇ જીવનું અસ્તિત્વ સુરક્ષિત નથી. તેમનું ચિંતન આજે કેટલું ઔચિત્યપૂર્ણ લાગે છે. અહિંસા એ દયાનું પર્યાયવાચી નામ છે. જીવદયાનો અર્થ પ્રાણીમાત્ર પ્રત્યે સહાનુભૂતિ, કરૂણા, અનુકંપા, પ્રેમ, પ્રીતિ, રક્ષા કરવી, અનુગ્રહ કે કૃપા કરવી તેવો થાય છે. ‘દાણાણ સેં અભયપ્રયાણં' અભયદાન એ જ શ્રેષ્ઠ દાન છે. અભયદાનમાં મૈત્રીભાવ અભિપ્રેત છે. તેમજ સર્વને જીવવાનો અધિકાર છે. અબોલ પશુઓ માટે પાંજરાપોળ સમૃદ્ધ કરવી, જ્યાં નથી ત્યાં ગૌસદનો બનાવવા જેથી કતલખાને જતા પશુ અટકે. પ્રત્યેક વ્યક્તિ પોતાની આસપાસ તમામ દિશાઓમાં પર્યાવરણનું કવચ પહેરીને શ્વાસ લઈ રહી છે. તેના પરિપાર્શ્વમાં જીવ અને અજીવ બંનેનું પર્યાવરણ છે. માટી, પાણી, અગ્નિ, વાયુ અને છોડ-વૃક્ષોનું રક્ષણ કરવું એટલે પોતાના અસ્તિત્વનું રક્ષણ કરવું. તેમના પ્રદૂષણનો અર્થ છે, જીવનને જોખમમાં નાખવું. કારખાનાનો કચરો અને પ્રદૂષિત પાણી, માટી અને જળ બંનેને દૂષિત કરી રહ્યા છે. પ્રદૂષણનાં કારણોને માણસ જાણે છે છતાં તે પ્રદુષણમાં વૃદ્ધિ કરી રહ્યા છે. આ ઉપરાંત ચીમનીઓનો ધૂમાડો વાયુમંડળને દૂષિત કરી રહ્યો છે. આમ, પ્રદૂષણના ફેલાવા પાછળ માનવીનું અજ્ઞાન રહેલું છે. આધ્યાત્મિક સ્વાસ્થ્યની ઉણપ એ પણ એક કારણ છે. સ્થાવર-જંગમ, દૃશ્ય-અદૃશ્ય તમામ જીવોનું અસ્તિત્વ સ્વીકારનાર વ્યક્તિ પર્યાવરણ સાથે ન્યાય કરી શકે છે. વૃક્ષો અને માણસને ક્યારે અલગ પાડી શકાતા નથી. વૃક્ષો દ્વારા ઓક્સીજન પ્રાણવાયુની પૂર્તિ થતી રહે છે. તેનાથી આપણું શારીરિક આરોગ્ય જળવાઈ રહે છે તે આધ્યાત્મિક આરોગ્યના. વિકાસમાં સહાયક નીવડે છે. ભગવાન મહાવીર પોતાના સાધનાકાળમાં અનેક વૃક્ષો નીચે રહ્યા હતા. તેમને શાલિવૃક્ષ નીચે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. અહિંસાના સિદ્ધાંતની ઉપેક્ષા કરીને પર્યાવરણ પ્રદૂષણની સમસ્યાને ઉકેલી શકાય તેમ નથી. પર્યાવરણના પ્રદૂષણને દૂર કરવા સંયમ, જ્ઞાનધારા Jain Education International ૮૬ For Private & Personal Use Only જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy