SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા ખરખરિWW.MRG-99R9SVSKAR,GSSS કર્મપ્રકૃતિમાં વિચારશક્તિ દ્વારા પલટાવી પણ શકાય છે. સારા સમાગમથી, જ્ઞાની પુરુષોના સહવાસથી ઘણી વખત આપણી વાસનાઓ ઓછી થઈ જાય છે. અમુક વસ્તુનું મમત્વ ઓછું થઈ જાય છે, અને મનમાંથી પણ તેવી જાતની ઇચ્છાઓ સદાને માટે કાઢી નાખીએ છીએ. આનું કારણ એ જ છે કે તે નિકાચિત બંધ પડ્યા વિનાની આપણી ખરાબ લાગણીઓ હોવાથી ભાવનાઓથી જે પુદ્ગલ કર્મનો જથ્થો એકઠો કરાયેલો હતો તે સદ્ગુરુના વચનામૃતોથી ભાવ વિશુદ્ધ થતાં વિખરાઈ જાય છે. આ માટે જ કહેવામાં આવ્યું છે કે જન્મમરણના બીજભૂત કર્મો જે સદ્ભાવના વડે વીખરાઈ જાય છે તેનું નામ નિર્જરા છે. 888888888888 આ નિર્જરા બે પ્રકારની છે. સકામ નિર્જરા અને અકામ નિર્જરા. કર્મનો નાશ કરવા માટે જે જે પ્રયત્નો કરવામાં આવે છે, જે જે ક્રિયાઓ કરવામાં આવે છે અને તે પણ આત્મઉપયોગની પૂર્ણ જાગૃતિપૂર્વક કરવામાં આવે તેથી સકામ નિર્જરા થાય છે. ટાઢ, તાપ, ક્ષુધા, તૃષા અનેક પ્રકારના અજ્ઞાનકષ્ટાદિ, સભ્યષ્ટિ થયા સિવાય સહન કરવામાં આવે છે, ઈચ્છા વિના પણ વિવિધ પ્રકારના રાગાદિ સહન કરવામાં આવે છે. ઇષ્ટ વિયોગથી, અનિષ્ટ સંયોગથી, વિવિધ પ્રકારના અપમાનથી, દુનિયામાં અપકીર્તિ ફેલાવાથી, ચક્ષુ આદિ ઇન્દ્રિયોના નાશથી, મોહના ઉદયથી થતા કામાદિ વિકારોને પરાણે રોકી રાખવાથી, નીચ કુલાદિમાં ઉત્પન્ન થવાથી, નાના પ્રકારની ઇચ્છાઓની અપૂર્ણતાથી, ટુંકામાં કહીએ તો જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના કર્મના ઉદયથી જે માનસિક, વાચિક કે કાયિક કષ્ટો સહન કરવાં પડે છે તે દુઃખ સહન 38a888 88888 Jain Education International 88888888 88 888 KURURURUKURURURUKERBREKERERURERURURURURURY (9 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy