SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ નદીપિકા 3838 8888888888888888888888888888888888 BERUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBUBURBSBE DUREREBBBBBBBBBBBBBBBUBUR વિના સંવરની ક્રિયા એટલે આવતાં કર્મને રોકવાનું બળ જીવોમાં છે આવી શકતું નથી. સમ્યક્દર્શન કહો કે સમ્યક્ દષ્ટિ કહો એ બન્ને એક જ વાત છે. આત્મા તરફ જ તેની દષ્ટિએ પ્રયાણ કર્યું છે, પુદ્ગલ પદાર્થોમાં સત્ય સુખ નથી જ એવી જેની પૂર્ણ શ્રદ્ધા પ્રગટી છે, આત્મા જ સુખરૂપ છે અને તે હું, સાચો હું, હું જ છું એમ જાણી તેના દરેક પ્રયાસો તેને શુદ્ધ કરવા માટે જ પ્રવર્તે છે, તેના તરફ લક્ષ રાખીને જ વર્તન થાય છે ત્યારે જ તેનાથી કરાતી સર્વ ક્રિયાઓ સંવરરૂપ થાય છે, નહિતર સમ્યષ્ટિ વિના કરાતી ક્રિયાઓ સંસારના કારણરૂપ થાય છે. તેમાં સારી ક્રિયાઓ હોય તો પુણ્યનું કારણ થાય છે. પણ તેથી સંસારના પરિભ્રમણનો નાશ કે કર્મ અટકાવવાના કારણરૂપ તે ક્રિયા થતી નથી માટે દરેક ક્ષણે સમ્યક્દૃષ્ટિ મનુષ્યોએ જાગૃતિ રાખવી જોઈએ કે અમુક ક્ષણે મારા મન, વચન, શરીરની પ્રવૃત્તિ કઈ તરફ છે? તેમાં મનની પ્રવૃત્તિ તપાસવા માટે તો વારંવાર લક્ષ આપવું જોઈએ, અને આશ્રવવાની પ્રવૃત્તિ જણાતાં તેની વિરોધી પ્રવૃત્તિ ધારણ કરી, સામી સારી ભાવના ઉત્પન્ન કરી, અશુભ આશ્રવથી પાછા હટી, શુભ પ્રવૃત્તિમાં વધારો કરવો. તે ટેવ પડ્યા પછી શુભ આશ્રવને પણ રોકી લઈ શુદ્ધ આત્મસ્થિતિમાં પ્રવેશ કરવો. અને તે જ આ ભાવનાની વિચારણાનો મુખ્ય ઉદ્દેશ છે. નિર્જરા ભાવના-૯ मूलभुतानि कर्माणि जन्मान्तादि व्यथांतरोः । विशीर्यते यया सा च निर्जरा प्रोच्यते बुधैः ॥३४॥ सा सकामा कामा च द्विविधा प्रतिपादिताः । निर्ग्रन्थानां सकामा स्यादन्येषामितरा तथा ॥३५॥ BBBBBURUBURBBBBBBBBBBBBUBUBBBUBUBUBUBUBURBURUBURUBBBGBUBURUBBBBBBBBBBBBBB BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB ce Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy