SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા સ્કર98694499 49ags: S9 સ જીવ ! તેમાં આસક્તિ રાખી વારંવાર તેમાં મોહ પામી લપટાઈ રહે છે ! 88888888 (088888 શરીરની અંદર રહેલા મળ, મૂત્રને તું આંખ ઉઘાડી સ્પષ્ટ રીતે જોવાને પણ આનાકાની કરે છે તો પછી તેવી વસ્તુથી ભરેલ આ દેહ અશુચિ હોવો જ જોઈએ એ નિશ્ચય થવા છતાં તે દેહ તરફ તું મમત્વ કેમ રાખી રહ્યો છે ? તું જો તે તરફ ધ્યાન આપી તે બાબતોનો હ૨વખત વિચાર લાવતો રહીશ તો તારો દેહ માટેનો સ્નેહ તથા મોહ ઓછો થવાથી કષાયોને દૂર કરી સાધુપુરુષસેવિત સંયમના પ્રતાપથી તું આત્મસ્વરૂપનું યથાર્થ જ્ઞાન મેળવી શકીશ. ૨૭. विनश्वरं पोषितभूषितं किं यात्येव यत्तन्मिलितं ततः किम् । सृजति पुनः पतति ततः किं जातो मृतो यो विफलस्ततः किम् ||२८|| આ દેહ વિનાશ પામનાર છે તો પોષણ આપવાનું કે ભૂષિત કરવાનું શું પ્રયોજન છે ? જો તે જવાનો જ છે તો તે મળ્યું તો પણ શા કામનું છે ? બનાવો અને પાછું નાશ પામે તો બનાવવાનું પ્રયોજન શું ? જન્મ્યો અને ફોગટ મરી ગયો તો જન્મ્યાનું પ્રયોજન શું ? કાંઈ નહીં. ૨૮. ભાવાર્થ : આ દેહ નાશ પામવાનો છે, તો તેને શા માટે પોષણ આપવું ? આનો અર્થ એવો નથી કરવાનો કે તેને આહારપાણી આપ્યા વિના મારી નાખવું. આ વાત સમજવા જેવી છે કે રાફડાને તાડન કરવાથી સાપ મરવાનો નથી. પખાલને ડામ આપવાથી પાડાનું દુઃખ દૂર થવાનું નથી, તેમ દેહને ભૂખે મારી નાખવાથી આત્મા કાંઈ સિદ્ધ થઈ જવાનો નથી કે જ્ઞાનસ્વરૂપ બની જવાનો નથી. આશય એવો છે કે અવશ્ય વિનાશ પામનારા આ દેહને માટે નાના પ્રકારના પાપો કરી મમત્વભાવે મોહને લીધે તેને પોષો નહિ. KUKURURURURTERERUPEREREKEKEREREREKURERERURY 99 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy