SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ 3888888 8888888888888888888888888 888888888 8488888888888 333333339 4933333333 28888888યાનદીપિકા આવી જ કાંઈક ક્રિયા આ દેહ માટે પણ થાય છે. તે સ્ત્રીપુરુષના સંયોગજન્ય બીજ માતા તરફથી મળતા પોષણમાંથી વૃદ્ધિ પામે છે. તેને જોઈતી હવા, ગરમી અને આહાર તે સર્વ માતાના શરીરમાંથી મળે છે, અર્થાત્ આ ગર્ભના બીજની રાસાયણિક ક્રિયા માતાના ઉદરરૂપ જમીનમાં જ થાય છે અને અમુક વખતની મર્યાદા પછી શરીરથી બહાર અંકુરોની માફક આવે છે. ત્યાર પછી બહારના અનુકૂળ આહાર, હવા, પાણી વગેરેથી વૃદ્ધિ પામી આ દેખાતું શરીર યુવા-વૃદ્ધાદિ અવસ્થા પામી પાછું મરી જાય છે. તે સાથે તેમાં રહેવાવાળો જીવ પણ અન્ય સ્થળે તેમાંથી જુદો પડી ચાલ્યો જાય છે. પાછું નવું શરીર ધારણ કરે છે. આ પ્રમાણે ઘટમાળ ચાલ્યા કરે છે. આથી એમ સમજાય છે કે આ શરીર વીર્યાદિ બીજથી ઉત્પન્ન થયેલું છે. બીજ દેખાવમાં કેવું નિંઘ જેવું લાગે છે ! શરીરનો અંદરનો ભાગ અનેક પ્રકારની અશુચિથી ભરપુર છે. વારંવાર તે મલિન થયા કરે છે, ગમે તેટલી વાર ધોવા કે સાફ કરવા છતાં પણ તે મલિન જ રહે છે. જેના નવ દ્વારોથી અશુચિ વહ્યા કરે છે, મળમૂત્રાદિકની ગટરો નિરંતર સાફ રાખે તો જ ઠીક રહે છે, વળી શરીર સ્વભાવથી જ સાર વિનાનું છે, તેના દરેક અવયવને જુદા જુદા કરી તેમાંથી સાર તપાસવામાં આવે તો લોહી, માંસ, વસા, પિત્ત, કફ, મૂત્ર, વિષ્ટા, હાડકાં અને ચામડાં ઈત્યાદિ સિવાય સારભૂત વસ્તુ કાંઈ પણ જોવામાં નહીં આવે. ખેર ! તેના કેટલાક ભાગો તો એટલા દુર્ગંધનીય જણાય છે કે મનુષ્યને નિરંતર લજ્જાને માટે ઢાંકી રાખવાની જરૂર પડે છે. અર્થાત્ લજ્જાના સ્થાનરૂપ આ શરીરમાં સારભૂત શું જણાય છે કે હે અજ્ઞાની ૭૬ 388888888a8aa%a8a8a8a888888888888888& Jain Education International 8888 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy