SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ 88888888888888888888388888888888888888888888 નેહhકા *888888888888888888888888888888888888888888888888888888888888888888 દૃષ્ટાંત તરીકે એક દીવો પ્રકાશ કરેલો હોય, તે પ્રકાશ કરનારને તો જે માટે તે પ્રગટ કરેલો હતો તે જાતનું ફળ મળી ચૂક્યું પણ તે જ દીવાથી બીજા પણ માણસો નવા નવા દીવા પ્રગટાવી શકે છે. આ જ રીતે પાપ કરનાર એક પાપપુંજ પ્રગટ કરે છે, તેને દેખી તેનું અનુમોદન કરનાર પણ નવું શું પાપ પેદા કરે છે. જેમ દીવાથી દીવો સળગાવી લેતાં મૂળ દીવામાં ઓછાશ થતી નથી, તેમ મૂળ પાપમાં ઓછાશ ન થતાં બીજાઓ તે છે મેળવી શકે છે. આવી મોહાંધ, સ્વાર્થી કે અભિમાનવાળી વૃત્તિનો નાશ શું કરવા કે બદલાવી નાખવા માટે આ એકત્વભાવનાનો ઉપયોગ કરવાનો છે, તે એમ કે તે આત્મા ! તું એકલો જ છે, તારું આ જગતમાં કોઈ પણ નથી. સર્વ જીવો પોતાના શુભાશુભ કર્મનો બદલો અનુભવે છે. તારા સારા કર્મનો બદલો તને હું સારો મળશે, ખોટા કર્મનો બદલો ખોટો મળશે. દુનિયાના જીવો કેવળ સુખદુઃખમાં નિમિત્ત માત્ર છે. તારું કર્મ સારું હોય તો કોઈ તારું બુરું કરી શકનાર જ નથી અને તારું કર્મ જો ખરાબ હશે તો કોઈ તારું સારું કરનાર નથી, તેમ તું પણ કોઈનું સારું કે બૂરું કરી શકનાર નથી. સામા જીવોના સારા કે નઠારા કર્મના ઉદય વખતે તેના સારા કે બૂરામાં નિમિત્તમાત્ર તમે થઈ શકો છો. ફોગટ કર્તાપણાના અભિમાનમાં પડી તમે શા માટે ફસાઓ છો ? જન્મ્યો ત્યારે એકલો જ આવ્યો હતો, જઈશ ત્યારે પણ એકલો જ જવાનો છે. આ સંયોગો સંબંધીઓ કોઈ પણ સાથે આવ્યા નહોતા @ અને આવવાના પણ નથી. વિશાળ રાજ્યો, મોહક મહેલાતો, BUBBBBBBBBBBBBBBBBBGBUBBBBBBBBBBBBBBBBBBBUBUBURUBURUBUBUBBBBBBBBBBBBBBBBBB188 CSRBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBRAKE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy