SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ 88888 88888888 38:38s338888888¢8890838&888&#9838 &88&<&88&P383388888 અલ969@C[GGS S&RLSLSL SSSVGSP)ધ્યાન દીપિકા આત્માને અનંત ભ્રમણાથી સ્વરૂપમય પવિત્ર શ્રેણિમાં આણવો એ કેવું નિરૂપમ સુખ છે તે કહ્યું કહેવાતું નથી, લખ્યું લખાતું નથી અને મને વિચાર્યું વિચારાતું નથી. આ કાળમાં શુકલધ્યાનની મુખ્યતાનો અનુભવ ભારતમાં અસંભવિત છે. તે ધ્યાનની પરોક્ષ કથારૂપ અમૃતતાનો રસ કેટલાક પુરુષો પ્રાપ્ત કરી શકે છે; પણ મોક્ષમાર્ગની અનુકૂળતા ધોરી વાટે પ્રથમ ધર્મધ્યાનથી છે. આ કાળમાં રૂપાતીત સુધી ધર્મધ્યાનની પ્રાપ્તિ કેટલાક સત્પુરુષોને સ્વભાવે, કેટલાકને સદ્ગુરુરૂપ નિરૂપમ નિમિત્તથી અને કેટલાકને સત્સંગાદિ લઈ અનેક સાધનોથી થઈ શકે છે; પણ તેવા પુરુષો નિગ્રંથમતના-લાખોમાં પણ કોઈક જ નીકળી શકે છે. ઘણેભાગે તે સત્પુરુષો ત્યાગી થઈ, એકાંત ભૂમિકામાં વાસ કરે છે, કેટલાક બાહ્ય અત્યાગને લીધે સંસારમાં રહ્યાં છતાં સંસારીપણું જ દર્શાવે છે. પહેલા પુરુષનું મુખ્યોત્કૃષ્ટપણું અને બીજાનું ગૌણોત્કૃષ્ટ જ્ઞાન પ્રાયે કરીને ગણી શકાય; ચોથે ગુણસ્થાનકે આવેલો પુરુષ પાત્રતા પામ્યો ગણી શકાય. ત્યાં ધર્મધ્યાનની ગૌણતા છે. પાંચમે મધ્યમ ગૌણતા છે. ઇઅે મુખ્યતા પણ મધ્યમ છે. સાતમે મુખ્યતા છે. આપણે ગૃહવાસમાં સામાન્ય વિધિએ પાંચમે ઉત્કૃષ્ટ તો આવી શકીએ; આ સિવાય ભાવની અપેક્ષા તો ઓર જ છે ? એ ધર્મધ્યાનમાં ચાર ભાવનાથી ભૂષિત થવું સંભવે છે. (૧) મૈત્રી - સર્વજગતના જીવભણી નિર્વેર બુદ્ધિ. (૨) પ્રમોદ-અંશમાત્ર પણ કોઈનો ગુણ નીરખીને રોમાંચિત ઊલ્લસવાં. (૩) કરુણા-જગતજીવનાં દુ:ખ દેખીને અનુકંપિત થવું. ૩૭૮ 33333333338888888888888888888888888888888. Jain Education International For Private & Personal Use Only 88& www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy