SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ EVID Elfus, BERURURURURURURURURURURURURU 38,3988988 88 3sx8888888888 ત્યાં સુધી તેના કહ્યા પ્રમાણે આત્મવિશુદ્ધિ માટે ચાલવું જ પડે છે. આત્મસ્વરૂપ એવી વસ્તુ નથી કે પ્રત્યક્ષ રીતે દેખાડી શકાય પણ તે અનુભવગમ્ય છે. પ્રયત્ન કરનારને પોતાને જ તેનો અનુભવ થાય છે. બીજાને અનુભવ કરવો હોય હોય તો તેણે પણ તે અનુભવ કરનારના કહેવા પ્રમાણે પ્રયત્ન કરવો જોઈએ. મતલબ કે શરૂઆત શ્રદ્ધાથી થાય છે. અને જેમ જેમ યોગ્યતા વધતી જાય છે. તેમ તેમ અનુભવ વધતો જાય છે. માટે શરૂઆતમાં કોઈ પ્રામાણિક મહાપુરુષ આત્મજ્ઞાનનો અનુભવ કરનાર હોય તેના પર શ્રદ્ધા રાખી તેના કહ્યા મુજબ વર્તન કરવું. તેણે જે કહ્યું છે તે સત્ય છે, યોગ્ય જ છે. મારા હિત માટે જ છે. મને તેનાથી અવશ્ય ફાયદો થશે જ, આવી શ્રદ્ધા રાખી આત્મવિશુદ્ધિ માટે પ્રયત્ન કરવો; વાતોથી વડાં થતાં નથી. પ્રયત્નની ખાસ જરૂરિયાત છે. યોગ્ય પ્રયત્ન અવશ્ય ફળ આપે છે. આ શ્રદ્ધા ગુણ શુદ્ધ સમ્યક્ત્વને પ્રગટ કરે છે અને શ્રદ્ધા પોતે જ જ્ઞાનદર્શી છે. ૫. હૃદય કોમળતાવાળું, દયાથી આર્દ્ર થવું જ જોઈએ. દુઃખી જીવોને દેખી તેમની મદદે દોડી જવાની વૃત્તિ રોમરોમમાં થવી જોઈએ. પોતાની શક્તિ અનુસાર તન, મન, ધન અને વચનથી પણ મદદ કરી તેમનાં દુઃખ દૂર કરવાં જોઈએ. પોતે કદાચ ન કરી શકે તો બીજા પાસે પણ મદદ કરાવવી. દ્રવ્ય અને ભાવથી એમ બે પ્રકારે જીવો દુઃખી હોય છે. દ્રવ્યથી દુ:ખી, નિર્ધન, રોગી, માનસિક પીડાવાળા, આપત્તિમાં ઘેરાયેલા વિગેરે કહેવાય છે. ધર્મ વિનાના જીવો, કેવળ પાંચ ઇન્દ્રિયોના વિષયસુખમાં લુબ્ધ થયેલા, સારાસારનો વિચાર ન કરતાં નાના પ્રકારના આરંભ સમારંભમાં, એશઆરામમાં ÉTURURUFURURURUTEREAURETERERURURURURURURURU 30 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy