SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBezllo Ellosi SSR8HGRGRUMSAGNGHISAYASASHURGH8HG8GGISHUHUR&ASHYRYNGR8IGSSRSRSRSRSRSRSRSRS ઊઠતા નીકળતા ચિંતવવા. આ અગ્નિના તણખા નીકળતા થાય એટલે ધુમાડાની શિખા ઓછી થતી હોય તેમ ધારવું. તણખા નીકળ્યા પછી તે મૂળમંત્રના રેફમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળતી ચિંતવવી. આ વખતે હૃદયમાં એક આઠ પાંખડીનું કમળ ચિંતવવું. હું આ કમળ સોળ પાંખડીવાળા નાભિના કમળની ઉપર ઊંધું અર્થાત્ નીચું મુખ રાખી તે સોળ પાંખડીવાળા કમળ ઉપર લટકતું હોય તેમ પણ કેટલાએક આંતરે છે.) રહેલું ચિંતવવું. આ આઠ પાંખડીવાળા કમળના દરેક પાંદડાં ઉપર એક એક કર્મ (૧ જ્ઞાનાવરણીય, ૨. દર્શનાવરણીય, ૩. વેદનીય, ૪. મોહનીય, પ, આયુષ્ય, ૬. નામ, ૭. ગોત્ર, ૮. અંતરાય એ પ્રમાણે) ગોઠવી દેવાં. ત્યાર પછી નાભિકમળની કર્ણિકામાં રહેલા મૂળમંત્ર મર્દના રેફમાંથી જે જ્વાળાઓ નીકળતી હતી, તે જ્વાળાઓ વધારે વૃદ્ધિ પામીને આઠ પાંખડીવાળા ઊંધા મુખવાળા કમળ ઉપર પડી અને તે કમળમાં રહેલાં આઠે કર્મને બાળી નાંખે છે. આ મહામંત્રમાંથી નીકળતી અગ્નિજ્વાળા અવશ્ય તે કમળ સાથે કર્મોને બાળી જ નાંખે છે એમ મજબૂતાઈથી ચિંતવવું અને તદાકાર થઈ જવું. ત્યાર પછી શરીરની બહાર એક ત્રણ ખૂણાવાળો છે અગ્નિનો કુંડ છે, જેની અંદર ભડભડાટ કરતો અગ્નિ બળી રહેલો છે; ધુમાડા વિનાની અગ્નિની જ્વાળાઓ ભડકાઓ સે થઈ રહેલા છે એમ ચિંતવવું. તે ત્રિકોણ અગ્નિકુંડના ઉપરના એક ભાગમાં એક તેજસ્વી સાથિયો છે, તથા બીજી તરફ અગ્નિબીજ (૨)કાર છે એમ ચિંતવવું. એવી દઢતાથી ચિંતન કરવું કે તે અગ્નિકુંડ, તેમાંથી નીકળતી જ્વાળાઓ, ભડકાઓ, સાથિયો () કાર વગેરે દેખાઈ આવે. BBBBBBBBBBBBBBBBBBBORREROBUBUBURUBURBBBBBBBBBBBBBBBBKRUBBBBBURDURURUBURBS હિ૧૨ કે કિરિટ8િ888હિ8888888888888888888888888888હિ888888 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy