SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ 888888888888888888888888ઠ્ઠ8888888888888888/88 નિહાપકા R8888888888888888888888888888888888888H888888888888888888888888888888 છે છે કે આ શરીરથી તે ઉત્પન્ન થાય છે.” કોઈ કહે છે કે કર્મથી ઉત્પન્ન થાય છે.” કોઈ કહે છે કે “આત્મશક્તિથી ઉત્પન્ન થાય છે.” આ વિચારોનો નિર્ણય કરવા માટે એક દૃષ્ટાંત લઈએ. ધારો કે પૂતળાંનો નાચ દેખાડનારાઓ પૂતળાંને મનુષ્યની માફક હાલતાં ચાલતાં અનેક પ્રકારનાં ચેનચાળા કરતાં પ્રેક્ષકોને બતાવે છે. આ પૂતળાંની પાછળ ઝીણો તાર તે પૂતળાંના શરીર સાથે જોડેલો હોય છે અને એક માણસ પડદાની પાછળ ઊભો રહી આ તારને મરજી માફક પણ નિયમિત રીતે ચલાવે છે, તેને લઈને પૂતળાંઓ નાચે, કૂદ વગેરે ક્રિયાઓ કરે છે. પૂતળાંને ચલાવનાર પડદા પાછળ રહેલા માણસને કે તારને લોકો જોઈ શકતા નથી છે તેવી ગોઠવણ કરવામાં આવે છે. આ નાચ જોનારામાં ત્રણ પ્રકારના જીવો હોય છે. કેટલાક અલ્પ બુદ્ધિવાળા તો એમ સમજે છે કે પૂતળાં પોતાની મેળે નાચે છે. તેથી વધારે વિચારની ખિલવણી પામેલા જીવો તે તારોને હાલવા-ચાલવાની ક્રિયા કરનારરૂપે જુએ છે અને તે વિચારોથી પાર ગયેલા જીવો તો આ પૂતળાંનો નાચ તે તારનાં દોરડાને ખેંચનાર-ચલાવનાર મનુષ્યસત્તાને આધીન થતો જુએ છે. આવી રીતે સ્થૂળ બુદ્ધિવાળા જીવો આ સ્થળ પૂતળાં જેવા શરીરને જ કાર્ય કરનાર ગણે છે. તેઓની આત્મશક્તિની ખબર ન હોવાથી શરીરને સ્વતંત્ર ક્રિયા કરનાર સમજે છે. તેને લઈને જ તેના સગાંવહાલાં કે ઇતર મનુષ્યો તેની સેવા કરે છે. તેમના ઉપર તે પ્રસન્ન થાય છે, અને પ્રતિકૂળ વર્તન કરે છે તો તેમને ધિક્કારે છે, નુકસાન કરે છે. આવા વર્ગના છે લોકો દેહને આત્મા માનનારા અજ્ઞાની જીવો છે. આથી ઊંચા શિ BUBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBGRUBURRRRRRRRRRRRRRRRREBOBUREAUB RCO BUBURBERRRRRRRRRRRRRRRRRRRRRRRRUBURBS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy