SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ 88888888888888888888888કિ888888888888જી ટાહિકા 888888888888888888888888888888888888888888888888888888888888888888 કોઇ હેતુથી કે યુક્તિથી બાધા ન પામે અથવા પૂવપર હું વિરોધ ન પામે તેવી સર્વજ્ઞ પુરુષની આજ્ઞાને-સર્વજ્ઞના નિશ્ચયને-મુખ્ય કરીને અથવા સર્વજ્ઞના નિશ્ચયની મદદ લઈને તત્વથી વસ્તુસ્વરૂપે પદાર્થોનું ચિંતન કરવું એટલે પદાર્થોના પૃથક્કરણથી તત્ત્વસ્વરૂપ આત્મસ્વભાવને તેના વિરોધી પુદ્ગલોથી જુદો પાડવો-વિચારવો તેને આજ્ઞાધ્યાન કહીએ. ધ્યાનશતકમાં પણ કહ્યું છે કે, झाइज्जा निरवज्जं जिणाणमाणं जगप्पईवाणम् । अनिऊण मइदुन्नेयं नयभंगपमाणगमगहणम् ॥१॥ तथ्थय मइदोबल्लेण तविहायरिय विरहओयावि । णेयगहणतणेणय णांणावरणो दएणं च ॥२॥ हेऊदाहरणा संभवेय सति सुट्ठ जं न बुझेज्जा । सवन्नुमयमवितह तहावि तं चिंतए मइमं ॥३॥ નૈગમ સંગ્રહાદિ સાત નય, એકાદિ સંયોગી કે ચતુર્ભગીવાળા ભાંગાઓ, શેય પદાથોના નિર્ણય કરનાર પ્રત્યક્ષાદિ પ્રમાણો અને ચોવીસ દંડક આદિ ગમાઓ ઇત્યાદિથી ગહન, નિપુણ બુદ્ધિ વિનાનાઓથી દુઃખે જાણી શકાય તેવી, કેવળજ્ઞાનરૂપ દીપકથી સમગ્ર સંશયરૂપ અંધકારનો નાશ કરનાર હોવાથી જગતના દીપક સમાન, નિર્દોષ, પાપરહિત અથવા આ લોક કે પરલોકના સુખની આશંસા-ઇચ્છા વિનાની જિનેશ્વરની આજ્ઞાનું ચિંતન કરવું. અહીં કોઈ શંકા કરે કે આવા વિશેષણોવાળી જિનેશ્વરની આજ્ઞા મંદબુદ્ધિ જીવો સમજી શકે નહિ તો પછી તેનું ધ્યાન કે સંબંધી વિચાર તો કેમ કરી શકે જ ? આનો ઉત્તર એ છે કે ૧ બુદ્ધિની દુર્બળતાથી સમ્યક રીતે પદાર્થોનો નિશ્ચય ન કરી શકાય તથા ૨. સારી BUBURUBUBUBURBRBUBBAUBERUBBERBURUBURRRRRRUDBUBBBBBBUURUBURURUBUBBBUBBB 202 KSBEHERBRORUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy