SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ 68.498988A8a&GRAMMસ્મુખ બાહ્ય પદાર્થમાં દષ્ટિ તથા મન સ્થિરતા ન પામે તો પછી જે આંખે જોઈ શકાતી નથી. તેવી આંતરવસ્તુ કે પદાર્થમાં તે મન કેવી રીતે સ્થિરતા પામશે ? આંતરસ્થિરતા પામવાનો મુખ્ય હેતુ આ અભ્યાસમાં રહેલો છે. ધ્યાનદીપિકા આ પદાર્થ ઉપર દૃષ્ટિને મન સાથે સ્થિર કરવામાં જેને ઠીક ન લાગે તેમણે ભગવાનની કે ગુરુની મૂર્તિ લેવી અને તેના ઉપર એકાગ્રતા કરવી. તે સિદ્ધ થયા બાદ, એટલે કોઈ પણ જાતનો સંકલ્પવિકલ્પ ન કરતાં દષ્ટિ સાથે મન સ્થિર રહી શકે તે પછી દૃષ્ટિને આંતરલક્ષ તરફ વાળવી, એટલે આંખો બંધ કરી આંતરના લક્ષો સિદ્ધ કરવા તરફ પ્રવૃત્તિ કરવી. આંખો બંધ કરીને કે નેત્ર અર્ધખુલ્લાં રાખીને પોતાના હૃદયમાં ભ્રકૂટિમાં, નાભિમાં અને બ્રહ્માદિ સ્થાનોમાં મનને નિરાકાર આત્માની કલ્પના કરી આત્માના શુદ્ધ ઉપયોગની જાગૃતિ બની રહે તે સાથે રોકવું-સ્થિર કરવું. નિરાધાર નિરાકારમાં ધારણા ન રહી શકે તો હૃદયમાં કે ભ્રૂકુટિમાં ઇષ્ટદેવની કે ગુરુની મૂર્તિને મનથી કલ્પીને તેના ઉપર ધારણા રાખવી. શરૂઆતમાં આખી મૂર્તિની ધારણા થઈ શકતી નથી. તેથી પ્રથમ તે મૂર્તિના અંગૂઠા ઉ૫૨ મન ઠરે એટલે તે આંખો બંધ કર્યા છતાં દેખાય ત્યારે ઢીંચણ, આંખો, પગ, હાથ, હૃદયનો ભાગ અને છેવટે મસ્તક પર્યંત એક પછી એક સિદ્ધ થતાં ધારણા કરતાં જવી, જેથી આખી મૂર્તિની ધારણા સિદ્ધ થાય છે. Jain Education International For Private & Personal Use Only a8aa8a8838 આ સાકાર રૂપવાળી ધારણા સિદ્ધ થયા પછી નિરાકાર કોઈ પણ જ્ઞાન, આનંદ કે તેવા જ સદ્ગુણોની અરૂપીધારણા કરવી. આત્માના શુદ્ધ સ્વરૂપની માનસિક ધારણા કરવી અથવા સિદ્ધસ્વરૂપ પરમાત્માની ધારણા કરવી. ૨૩૪ KGKGR&#8a888888888888a88&888888838 888888 8888888g www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy