SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ BBBBBBBBBBBBBBBBBBBBBBBBBRGRSBBBBBP Zlot Elfus 88888888888888888888888888888888888888888888888888888888888888888888888888888 આવી જ રીતે આ ચપળ મનને એક ધ્યેયરૂપ ખીલા સાથે બાંધવામાં આવે છે, તેથી તે પવિત્ર ધ્યેયરૂપ ખીલાને મૂકીને બીજે ખસી શકતું નથી. આથી મન સર્વથા સ્થિર થતું નથી, છતાં અનેક સ્થળે ફરવારૂપ ચપળતા મૂકી દઈ આ ઉત્તમ ધ્યેયના ખીલા સાથે બંધાઈ તેની જ આજુબાજુ ફર્યા કરે છે. તેના મજબૂત અભ્યાસથી મન ત્યાં જ સ્થિર થઈ જાય છે. મન જ્યારે અન્ય સ્થાન કે અન્ય આલંબનનો આશ્રય કરે છે ત્યારે તે ધારણા તૂટી જાય છે. આ ધારણા સ્થિર કરવા માટે એક જ ધ્યેયમાં મન લાગી રહે તે માટે કેટલાક અભ્યાસીઓ શરૂઆતમાં બહાર ત્રાટક કરે છે. ગોળ બિન્દુ ઉપર કે તેવા જ પદાર્થ ઉપર દૃષ્ટિને સ્થાપન કરીને ખુલ્લી આંખે તે પદાર્થ તરફ જોયા કરે છે. દષ્ટિને ત્યાંથી જરા પણ ખસવા દેતા નથી. એકાદ મિનિટથી શરૂઆત કરી ધીમે ધીમે તેમાં વધારો કરી એકાદ કલાક કે તેથી પણ વધારે વાર દષ્ટિ સ્થિર કરે છે. દૃષ્ટિ બહાર સ્થિર થાય, ત્યાર પછી અંદરના ભાગમાં મનને સ્થિર કરવાની શક્તિ આવે છે. ધ્યાનનો અખંડ પ્રવાહ એક ધ્યેયમાં ચાલુ રાખવાનું બળ આવે છે. પરબ્રહ્મ જે સિદ્ધ સ્વરૂપ આત્મસ્વરૂપ છે તેમાં કે એકાદ સગુણમાં મનને સ્થિર કરવાનું કે જોડી આપવાનું કામ શરૂઆતમાં કઠણ થઈ પડે તેમ છે માટે પ્રથમ સાકાર અરિહંતાદિની મૂર્તિ-છબી ઉપર ધારણા કરવી. સિદ્ધચક્રજીના ગટ્ટા ઉપર બાહ્ય ત્રાટક સિદ્ધ કરવું. અગર અરિહંત ભગવાનની મૂર્તિના શરીર ઉપર-કપાળ ઉપર, નેત્ર ઉપર, કે મુખ ઉપર ઇત્યાદિ કોઈ પણ સ્થાનમાં બીજા કોઈ પણ વિચારો છે ન કરતાં-વિચારો આવવા ન દેતાં બરાબર દૃષ્ટિ સ્થિર કરવી. BUBBEGEBIURUBBBBUBURUDUBURBURURUBBBUBURUZURUBURBURBERREUROBBGBBBBBBBBBIES R32BEBERGDORURORBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBZ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy