SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ BBGPRDUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBCI lol Elfusi RESH88888888888888888888888888888888888888888888888888888888888888888888888888888 પછી આસનાદિની કાંઈ જરૂર રહેતી નથી. પછી તો હાલતાં ચાલતાં, સૂતાં બેસતાં સર્વ સ્થળે તેનું ધ્યાન બન્યું રહે છે. આત્મજાગૃતિ અખંડ જળવાઈ રહે છે તે સ્થિતિવાળાને આસનાદિની કાંઈ જરૂર નથી. પ્રાણાયામ શ્વાસોચ્છવાસની ગતિનો વિરોધ કરવો (ગતિ બંધ કરવી) તેને પ્રાણાયામ કહે છે. શ્વાસોચ્છવાસની ગતિ કાયમને માટે બંધ થતી નથી. જેટલા વખત સુધી રોકવામાં આવે તેટલા વખત સુધી બંધ થાય છે અને પછી ચાલુ થાય છે. લાંબા કાળના અભ્યાસે શ્વાસોચ્છવાસની ગતિ ઘણી મંદ થાય છે, શરીરની અંદર ગતિ ચાલુ જ રહે છે. તથાપિ અમુક વખતને માટે શ્વાસોચ્છવાસની ગતિને સ્થિર કરી શકાય છે. જેમ જેમ તે શ્વાસોચ્છવાસની ગતિ સ્થિર થાય છે, તેમ તેમ મન પણ તેટલા વખતને માટે સ્થિર થાય છે. આ શ્વાસોચ્છવાસની ગતિ નાભિ આગળ થઈને નાસિકાના દ્વારા સુધી લંબાયેલી છે. પ્રાણાયામના પ્રયોગથી આ ગતિને નાસિકાના દ્વાર આગળથી બહાર જતી અટકાવીને ઊંચે બ્રહ્મરંધ્રમાં લાવવામાં આવે છે, અને ત્યાં પવનની સાથે મનને સ્થિર કરવામાં આવે છે. લાંબા કાળના અભ્યાસે તેમ બને હ્યું છે. તેથી પવનની ગતિ નાસિકા આગળ ઘણી મંદ ચાલતી રહે છે. લાંબી ગતિ ટુંકી થાય છે. મન સ્થિર થતાં આનંદ હું થાય છે. આ સર્વ ઉત્તમ હઠયોગની ક્રિયા છે. જે યોગ્યતાવાળા મનુષ્યને આત્મધ્યાન સહજ પ્રાપ્ત થાય છે, જેના મનની મલિનતા નાશ પામી છે, તેને તો જ્ઞાનયોગના માર્ગે જ ગુરુઓ આગળ ચડાવે છે. તેને આ પ્રાણાયામાદિ કરવાની જરૂર પડતી નથી. આ હક્યોગનો ઉત્તમ પ્રયોગ છે અને તેથી ગુરુ BUBBBBBBBBBBBBBBBBQBUEUBBBBBBBURUBBBUBURUBBBBBBBUBUBBBBBBBBBBBBBBBURUDUBER RAZBURGRUBURBRORUERREBBERBORURBERRRRRRRRRRRRRR Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy