SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ 38888888888888888&Rs323388s388888888888888888888888888 8908984માં નમ્યાં, સ્કમ્ડર ધ્યાન દીપિકા વગેરે રંગવાળા પદાર્થો તેની પાછળ મૂકવામાં આવે છે. તો આ પદાર્થોની ઉપાધિને લઈ સ્ફટિક પણ લાલ, પીળું, કાળું કે લીલું દેખાય છે. આ ઠેકાણે વિચાર કરો કે સ્ફટિક રત્ન વસ્તુતઃ તેવું નથી પણ આ પદાર્થોની નજીકતાને લઈને જ વિપરીત ભાન થાય છે. જુદી જુદી રીતે તે સ્ફટિક દેખાય છે; એવી જ રીતે કર્મના અણુઓ જે ઉદયમાં આવ્યા છે તેમની સમીપતાથી અથવા આત્મા પોતાનું ભાન ભૂલી જાય તેવા રાગદ્વેષ મોહ ઉત્પન્ન કરનારા પદાર્થોની સમીપતાના નિમિત્તથી આત્મા જુદા જુદા પરિણામે પરિણમે છે. સ્વચ્છ કે મલિન, ક્લિષ્ટ કે મંદ જેવા નિમિત્તો કે કર્મ અણુઓનો ઉદય થાય છે, તેવા જીવના અધ્યવસાય થાય છે તેને લેશ્યા કહે છે. આર્તધ્યાનના જીવોને, કૃષ્ણ, નીલ અને કાપોત આ ત્રણ સેશ્યાઓ હોય છે. તથાપિ તે ત્રણે ઘણી ક્લિષ્ટ, મલિન યા નિવિડ હોતી નથી પણ થોડી મિલન, થોડી નિવિડ (વિરલ) હોય છે. આર્તધ્યાનના ઉદયથી જીવના પરિણામો કાળાં, લીલાં અને કાંઈક પારેવાના રંગ જેવા થાય છે છતાં તેનો રસ ઘણો મંદ, ઓછો અને ઘણી ઓછી ક્લિષ્ટતાવાળો કડવાશવાળો હોય છે. આર્તધ્યાનનાં ચિહ્નો-લક્ષણો બતાવે છે. शोकाक्रंदौ मूर्च्छा मस्तकहृदयादिताडनं चिंता । आर्त्तगतस्य नरस्य हि लिंगान्येतानि बाह्यनि ॥८०॥ શોક કરવો, આક્રંદ કરવું (ડવું), મૂર્છા આવવી, માથું અને હૃદય આદિ પછાડવાં-તાડવાં, ચિંતા કરવી, ઇત્યાદિ આર્દ્રધ્યાનને પામેલા પુરુષનાં આ બાહ્ય ચિહ્નો નિશ્ચય સમજવાં. |૧૬૨ ૩88888888888888888Cw&&&88&&&&&#8888 Jain Education International 9898989898! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy