SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ કૃ8િ8888888888888888888888888888888888888ાનેદપિકા RIGHSR8888888888888888888888888888888888888888888888888888888888888888888888888 ભાવાર્થ : જ્ઞાનાદિ ઉત્તમ આલંબનને માટે અલ્પ દોષવાળાં કે નિર્દોષ ઔષધાદિનો ઉપચાર કરવાથી ધર્મધ્યાનને હાનિ પહોંચતી નથી. શરીર સારું હશે તો જ્ઞાન ભણાશે, ગુર્નાદિકની કે ગ્લાન, બાળ તપસ્વી આદિની ભક્તિ થશે. નાના પ્રકારની તપશ્ચર્યા થશે. ગચ્છની અને ગચ્છની નિશ્રામે રહેલા સાધુઓની સારણા, વારણાદિ સંભાળ લેવાશે, અને ધ્યાનાદિક કરી આત્મસ્વરૂપ પ્રગટ કરી શકાશે ઇત્યાદિ આલંબનો-કારણોને લઈ નિર્દોષ ઔષધ કરાવવાની જરૂર અથવા અલ્પ દોષવાળા, પણ પરિણામે મહાન લાભ આપનારા ઔષધોથી ધર્મધ્યાનની વૃદ્ધિ થાય છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે. કે ગીતાર્થ મુનિ યતનાપૂર્વકના કારણે અલ્પ સાવદ્ય ઔષધાદિ કરતા છતાં પણ નિર્દોષ છે, ગીતાર્થ એ શબ્દ કહેવાનો હેતુ એ છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવના જાણનાર ગીતાર્થ મુનિ હોય છે. તે જે અવસરે જેની જરૂરિયાત હોય તેવી પ્રવૃત્તિ આગ્રહ વિના તેઓ કરે છે. તેથી લાભાલાભનો વિચાર કરી યોગ્ય અવસરે કોઈ છે કામમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરવી ઘટે, ત્યાં તે તેવી પ્રવૃત્તિ કરી શકે છે. તપ, સંયમ, આદિ કરવાં છે તે પણ સાંસારિક દુઃખોનો પ્રતિકાર-ઉપાય છે માટે તપ, સંયમાદિની વૃદ્ધિ થતી હોય તેવા નિમિત્તે ઔષધાદિ કરવાં પડે તે પણ ધર્મધ્યાનનો હેતુ છે હોવાથી ધર્મધ્યાન છે. વિશેષતા એટલી છે કે તે તપ સંયમાદિ નિયાણા વિનાના હોવા જોઈએ-સાંસારિક સુખની અભિલાષાઇચ્છા વિનાના હોવા જોઈએ. અહીં કોઈ શંકા કરે કે કર્મનો ક્ષય કરવા માટે તપ . સંયમાદિ કરવા છે તે પણ એક જાતનું નિયાણું જ છે ને ? 5838BCBBBBBBBBBBBBBBBBBBBBURRRRRRRRRRRRRRRRUEBBUBURBURURUBBHUBBBBBBBER 9FORSBERUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBER Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy